Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેહરાનમાં પેલેસ્ટાઈન સમર્થક રેલી પાસે વિસ્ફોટ:એક સાથે અનેક બ્લાસ્ટ થયા; ઈરાનમાં અત્યાર સુધીમાં 1,350 લોકોના મોત

    1 day ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 14મો દિવસ છે. ઈરાનની રાજધાની તેહરાનમાં પેલેસ્ટાઈન સમર્થક 'અલ-કુદ્સ ડે' રેલી પાસે વિસ્ફોટ થયો છે. ઈરાનની સરકારી ટીવીના જણાવ્યા મુજબ, રેલીના વિસ્તારમાં એકસાથે અનેક બ્લાસ્ટના અવાજ સાંભળવા મળ્યો હતો. આ વિસ્ફોટમાં કેટલા લોકો જાનહાનિ પામ્યા છે, તેની અત્યારે સ્પષ્ટ જાણકારી મળી નથી. અલ-કુદ્સ ડે દર વર્ષે રમઝાનના છેલ્લા શુક્રવારે મનાવવામાં આવે છે. આ દિવસ પેલેસ્ટાઈનના સમર્થન અને જેરૂસલેમ (અલ-કુદ્સ)ના મુદ્દે વિરોધ પ્રદર્શનો માટે જાણીતો છે. તેહરાનમાં પ્રદર્શન દરમિયાન લોકોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલીક જગ્યાએ પ્રદર્શનકારીઓએ ટ્રમ્પ અને નેતન્યાહુના પૂતળા પણ સળગાવ્યા હતા. આ દરમિયાન જ વિસ્ફોટની ઘટના બની હતી. દાવો- ઈરાનના નવા સુપ્રીમ લીડરનો પગ કાપવો પડ્યો ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ગંભીર રીતે ઘાયલ છે અને કોમામાં છે. બ્રિટિશ મીડિયા ધ સનની રિપોર્ટ અનુસાર, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઘાયલ થયા બાદ તેમને તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમની હાલત અત્યંત ગંભીર છે. રિપોર્ટ અનુસાર, હુમલામાં ઈજા એટલી ઊંડી હતી કે તેમનો એક પગ કાપવો પડ્યો અને લિવરને પણ ગંભીર નુકસાન થયું છે. હોસ્પિટલના એક ભાગને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે અને ત્યાં ભારે સુરક્ષા તૈનાત છે. મુજતબા ખામેનીને તેમના પિતા અને ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ 9 માર્ચે દેશના નવા સુપ્રીમ લીડર બનાવવામાં આવ્યા હતા. અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    આજે સોના-ચાંદીનાં ભાવ ઘટ્યા:સોનું ₹1,748 ઘટીને ₹1.58 લાખ પ્રતિ 10 ગ્રામ આવ્યું, ચાંદીમાં પણ ₹8,350નો ઘટાડો થયો; અમેરિકા-ઈરાન યુદ્ધની અસર
    Next Article
    'ગેસના બાટલાના રૂ.5000 માગે છે, કોલસાના ચૂલા પર ધંધો':'બાટલો નહીં મળે તો પરિવાર ભૂખ્યો રહેશે', 4 શાકના બદલે 2 આપે છે; અમદાવાદમાં સ્વામિનારાયણ મંદિરનું ભોજનાલય બંધ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment