Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ત્રણ વર્ષીય કાર્ય હાથ ધરાશે‎:શારદાપીઠ કોલેજના પ્રોફેસરનો સેન્ટ્રલ સંસ્કૃત યુનિ.નો રૂ. 13 લાખનો સંશોધન પ્રોજેક્ટ મંજૂર

    1 day ago

    અનંત વિભૂષિત દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ હેઠળ તથા શ્રી શારદાપીઠ વિદ્યા સભા, ટ્રસ્ટ સંચાલિત શ્રી શારદાપીઠ કોલેજ, દ્વારકા માટે ગૌરવની વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ભારત સરકાર દ્વારા સ્થાપિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી (CSU), નવી દિલ્હી દ્વારા કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. વિનુ વાજાના સંશોધન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ ત્રણ વર્ષીય સંશોધન પ્રોજેક્ટ માટે રૂ. 13 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મંજૂર થયેલા સંશોધન અંતર્ગત અથર્વવેદમાં વર્ણવાયેલા કૃષિ સંબંધિત મંત્રોનું ભારતીય જ્ઞાન પરંપરાના પરિપ્રેક્ષ્યમાં વૈજ્ઞાનિક અભ્યાસ, સંપાદન તેમજ સરળ સંસ્કૃત, હિન્દી અને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવામાં આવશે. આ કાર્ય દ્વારા વેદોમાં રહેલા કૃષિ, પ્રકૃતિ અને માનવજીવન સાથે જોડાયેલા અમૂલ્ય જ્ઞાનને સામાન્ય જનતા, સંશોધકો અને વિદ્યાર્થીઓ સુધી સરળ રીતે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ દ્વારકાપીઠાધીશ્વર જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે સમગ્ર કોલેજ પરિવારને આશીર્વાદ પાઠવ્યા હતા. શ્રી શારદાપીઠ વિદ્યા સભા ટ્રસ્ટના મંત્રી બ્રહ્મચારી નારાયણાનંદજીએ પણ ડો. વિનુ વાજાને અભિનંદન પાઠવી સંસ્થાના શૈક્ષણિક વિકાસ માટે આ સિદ્ધિને મહત્વપૂર્ણ ગણાવી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ સાથે સંલગ્ન શ્રી શારદાપીઠ કોલેજના પ્રિન્સિપાલ ડો. સંદીપ એ. વાઢેરના માર્ગદર્શન અને સતત પ્રોત્સાહન તેમજ શ્રી દ્વારકાધીશ સંસ્કૃત એકેડમીના પૂર્વ નિયામક પ્રો. ડો. જયપ્રકાશ નારાયણ દ્વિવેદીના શૈક્ષણિક માર્ગદર્શનથી આ પ્રોજેક્ટને સફળતા મળી છે. સંસ્થાના શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે આ સિદ્ધિ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા દેશ-વિદેશમાંથી પ્રાપ્ત થતી અરજીઓમાંથી વેદ, સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધન માટે પસંદગીના સંશોધન પ્રોજેક્ટોને જ મંજૂરી આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાત માંથી માત્ર બે સંશોધન પ્રોજેક્ટોને મંજૂરી મળી છે, જેમાં શ્રી શારદાપીઠ કોલેજનો આ પ્રોજેક્ટ સ્થાન પામ્યો છે, જે સમગ્ર રાજ્ય અને દ્વારકા માટે ગૌરવની બાબત છે. સંશોધન કાર્યને કુલ સાત વિભાગોમાં વિભાજિત કરીને હાથ ધરવામાં આવશે. આધુનિક યુગમાં ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) આધારિત ખેતી તરફ વિશ્વ આગળ વધી રહ્યું છે, ત્યારે પ્રકૃતિ આધારિત કૃષિ પદ્ધતિઓનું મહત્વ વધુ વધી રહ્યું છે. અથર્વવેદમાં વર્ણવાયેલા કૃષિ સંબંધિત મંત્રો દ્વારા પ્રાકૃતિક ખેતી, પર્યાવરણ સંરક્ષણ, માનવ આરોગ્ય અને ટકાઉ જીવનશૈલી અંગે રહેલા પ્રાચીન જ્ઞાનને આધુનિક સંદર્ભમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આ સંશોધન પૂર્ણ થયા બાદ અથર્વવેદના પ્રાકૃતિક કૃષિ વિષયક મંત્રોનું સંપાદિત અને ત્રિભાષી સ્વરૂપમાં પ્રકાશન કરવામાં આવશે. જે સંસ્કૃતના વિદ્યાર્થીઓ, સંશોધકો, કૃષિ ક્ષેત્રના અભ્યાસીઓ તેમજ ભારતીય જ્ઞાન પરંપરામાં રસ ધરાવતા લોકો માટે ઉપયોગી સંદર્ભગ્રંથ સાબિત થશે. વેદોમાં સમાયેલ વૈજ્ઞાનિક વિચારધારા અને પ્રકૃતિ સાથે સુમેળ સાધતા જીવનમૂલ્યોને સમાજ સમક્ષ લાવવાની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    લાઈટ બિલનો વધારો પરત લેવા રજૂઆત થઇ‎:સેલવાસ ન.પા.ની સભામાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા
    Next Article
    SWAYAM January 2026 Semester Result Out For 829 Courses: Direct Link Here

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment