Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલાના મૃતદેહ સાથે 13 કલાક વિમાન ઉડતું રહ્યું:હોંગકોંગથી લંડન ફ્લાઇટમાં ટેકઓફ પછી મૃત્યુ થયું; આખી મુસાફરી દરમિયાન દુર્ગંધથી મુસાફરો પરેશાન રહ્યા

    20 hours ago

    બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં રવિવારે એક મહિલા યાત્રીનું ટેકઓફના લગભગ 1 કલાક પછી મૃત્યુ થયું. ત્યારબાદ તેનો મૃતદેહ પૂરા 13 કલાક સુધી વિમાનમાં જ રાખવામાં આવ્યો. મૃતદેહને વિમાનના પાછળના ભાગમાં રાખવામાં આવ્યો હતો, જ્યાં ફ્લોર ગરમ હતો. આ જ કારણે ધીમે ધીમે દુર્ગંધ ફેલાવા લાગી, જેનાથી પાછળ બેઠેલા યાત્રીઓને ઘણી મુશ્કેલી થઈ. આ ઘટના હોંગકોંગથી લંડન જઈ રહેલી ફ્લાઇટમાં બની. મહિલાની ઉંમર લગભગ 60 વર્ષ હતી. પાઇલટે ફ્લાઇટને વચ્ચે રોકવા કે પાછા ફરવાને બદલે લંડન સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો, કારણ કે નિયમો અનુસાર આવી સ્થિતિને સામાન્ય રીતે ઇમરજન્સી માનવામાં આવતી નથી. મૃતદેહ ધાબળામાં લપેટીને ગેલીમાં રાખવામાં આવ્યો ક્રૂ મેમ્બર્સે પહેલા મૃતદેહને ટોઇલેટમાં રાખવાનું વિચાર્યું, પરંતુ બાદમાં તેને ધાબળામાં લપેટીને ગેલીમાં રાખી દેવામાં આવ્યો. ગેલી વિમાનનો તે ભાગ હોય છે જ્યાં ફ્લાઇટ સ્ટાફ (ક્રૂ) ખાવા-પીવાનું તૈયાર કરે છે અને સામાન રાખે છે. અહીંથી જ મુસાફરોને ભોજન, પાણી, ચા-કોફી આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્લેનના આગળના કે પાછળના ભાગમાં હોય છે. લંડન પહોંચ્યા બાદ પોલીસે વિમાનમાં આવીને તપાસ કરી અને લગભગ 45 મિનિટ સુધી મુસાફરોને સીટ પર જ બેસાડી રાખવામાં આવ્યા. એરલાઇન બ્રિટિશ એરવેઝે જણાવ્યું કે તમામ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું અને તેઓ મહિલાના પરિવાર સાથે છે. પ્લેનમાં કોઈનું મૃત્યુ થાય તો શું કરવામાં આવે છે? હવાઈ ​​યાત્રા દરમિયાન જો કોઈ મુસાફરનું મૃત્યુ થાય છે, તો એરલાઈન્સ નિર્ધારિત નિયમો અનુસાર કામ કરે છે. આ નિયમો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) ની માર્ગદર્શિકા પર આધારિત હોય છે. સૌ પ્રથમ, ફ્લાઇટનો સ્ટાફ તે મુસાફરને બચાવવાનો પ્રયાસ કરે છે. CPR આપવામાં આવે છે અને જો પ્લેનમાં કોઈ ડોક્ટર હોય, તો તેની મદદ લેવામાં આવે છે. આ પછી પાઇલટને જાણ કરવામાં આવે છે. પછી પાઇલટ નક્કી કરે છે કે ફ્લાઇટને વચ્ચે ઉતારવી કે આગળ વધારવી. સામાન્ય રીતે ફ્લાઇટને તેના ગંતવ્ય સ્થાન સુધી લઈ જવામાં આવે છે, કારણ કે દરેક કેસને ઇમરજન્સી માનવામાં આવતો નથી. જો મુસાફરનું મૃત્યુ થાય છે, તો મૃતદેહને ધાબળા અથવા બોડી બેગથી ઢાંકી દેવામાં આવે છે. પછી તેને ખાલી સીટ પર અથવા પ્લેનના પાછળના ભાગ (ગેલી) માં રાખવામાં આવે છે. જો સીટ ખાલી ન હોય, તો મૃતદેહને તે જ સીટ પર રાખી શકાય છે. ક્રૂ આ વાતનું ધ્યાન રાખે છે કે બાકીના મુસાફરોને ઓછામાં ઓછી પરેશાની થાય. લેન્ડિંગ પહેલાં એરપોર્ટને સૂચના આપી દેવામાં આવે છે, જેથી મેડિકલ ટીમ અને પોલીસ તૈયાર રહે. લેન્ડિંગ પછી જરૂરી તપાસ અને પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. એરલાઇન દરેક કિસ્સામાં વળતર આપતી નથી હવાઈ ​​યાત્રા દરમિયાન જો કોઈ મુસાફરનું મૃત્યુ થાય છે, તો દરેક કિસ્સામાં એરલાઇન વળતર આપતી નથી. વળતર ત્યારે જ આપવામાં આવે છે, જ્યારે એરલાઇનની ભૂલ અથવા બેદરકારી સાબિત થાય. નિયમો મુજબ, એરલાઇનની જવાબદારી હોય છે કે તે મુસાફરને તાત્કાલિક મદદ પૂરી પાડે. આમાં તબીબી સહાય પૂરી પાડવી, CPR કરવું અને જરૂર પડ્યે ડૉક્ટરની મદદ લેવી શામેલ છે. જો એરલાઇન આ બધું યોગ્ય રીતે કરે છે, તો તેને દોષિત માનવામાં આવતી નથી. IATA મુજબ, જો કોઈ મુસાફરનું મૃત્યુ કુદરતી રીતે જેમ કે હાર્ટ એટેકથી થાય છે, તો એરલાઇન પર વળતર આપવાની જવાબદારી બનતી નથી. પરંતુ જો તે સાબિત થઈ જાય કે એરલાઇને સમયસર મદદ ન આપી અથવા નિયમોનું પાલન ન કર્યું, તો તેને જવાબદાર ગણી શકાય છે અને વળતર ચૂકવવું પડી શકે છે. પ્લેનમાં ક્યારે ઇમરજન્સી ગણાય છે? હવાઈ ​​યાત્રા દરમિયાન દરેક સમસ્યાને ઇમરજન્સી માનવામાં આવતી નથી. એવિએશન નિયમો મુજબ, જ્યારે વિમાન, મુસાફરો અથવા ક્રૂના જીવને જોખમ હોય છે, ત્યારે જ પરિસ્થિતિને ઇમરજન્સી જાહેર કરવામાં આવે છે. એવિએશન ઓથોરિટી જેમ કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) મુજબ, પાઇલટ આવી સ્થિતિમાં “મેડે મેડ” અથવા “પેન પેન” કોલ કરીને ઇમરજન્સીની જાણકારી આપે છે અને આગળનો નિર્ણય લે છે. સૌથી ગંભીર પરિસ્થિતિઓ ત્યારે ગણાય છે જ્યારે પ્લેનમાં આગ લાગી જાય અથવા ધુમાડો ભરાઈ જાય. આવા કિસ્સાઓમાં, તરત જ નજીકના એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવામાં આવે છે. આ ઉપરાંત, એન્જિન ફેલ થવું, કેબિન પ્રેશર ખતમ થવું અથવા ફ્યુઅલની અછત પણ ઇમરજન્સી ગણાય છે, જેમાં ઝડપી લેન્ડિંગ જરૂરી હોય છે. ગંભીર તબીબી કિસ્સાઓમાં, જેમ કે હાર્ટ એટેક અથવા શ્વાસ લેવામાં તકલીફ થવા પર પણ ફ્લાઇટને ડાયવર્ટ કરી શકાય છે, જેથી મુસાફરને ઝડપથી સારવાર મળી શકે. ખરાબ હવામાન અથવા સુરક્ષા જોખમ (જેમ કે બોમ્બની ધમકી) ની સ્થિતિમાં પણ પાયલટ ફ્લાઇટને નજીકના એરપોર્ટ પર ઉતારી શકે છે. જોકે, દરેક તબીબી સમસ્યા કે ઘટનામાં તરત લેન્ડિંગ થતું નથી. હળવી તબિયત ખરાબ થવી અથવા કોઈ મુસાફરના મૃત્યુ જેવા કિસ્સાઓમાં ઘણીવાર ફ્લાઇટને તેના ગંતવ્ય સ્થાન સુધી ચાલુ રાખવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    ભારતની 'કોન્સર્ટ ઈકોનોમી' યુદ્ધની ઝપટે ચઢી!:'ધુરંધર'ના ટ્રેન્ડ સેટર રેપર બાદ શકીરાનું ઈન્ડિયા ટૂર અટક્યું; ઉત્સાહિત ફેન્સે ₹32 હજારવાળી ટિકિટો ખરીદી હતી
    Next Article
    સાંસદે CSને મહાભારતના વિદુર સાથે સરખાવ્યા:ICSIના વડોદરા ચેપ્ટરના સ્થાપના દિવસની ઉજવણી, રાષ્ટ્રીય પ્રમુખે કહ્યું- વિશ્વના 1.30 લાખ CSમાંથી 80 હજાર ભારતમાં જ છે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment