Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રાથમિક સુવિધાના કામો મામલે મ્યુ. કમિશનર આકરા પાણીએ:નાગરિકો સાથે ગેરવર્તણૂક, લાઈટ-સફાઈ મામલે 13 અધિકારીઓ-કર્મચારીઓને શો-કોઝ નોટિસ આપી ખુલાસા માંગ્યા

    2 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા 13 અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શો-કોઝ નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો છે. નાગરિકો સાથે ગેરવર્તણુક કરવાથી લઈ સાફ-સફાઈ અને લાઈટો બંધ હોવા અંગેની ફરિયાદો મળતા યોગ્ય કામગીરી ન કરવા બદલ તેમને નોટિસ આપવામાં આવી છે. માત્ર એક મહિનામાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા 13 અધિકારીઓ- કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રમાં ફફડાટ ફેલાયો છે. શહેરની પ્રાથમિક સુવિધાઓની કામગીરીમાં બેદરકારી નાગરિકોની મળતી ફરિયાદો અને યોગ્ય કામગીરી ન કરનારા અધિકારીઓ સામે મ્યુનિસિપલ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે. પાણી, ગટર, લાઈટ અને સાફ-સફાઈ વગેરે શહેરની પ્રાથમિક સુવિધાઓની કામગીરીમાં બેદરકારી જોવા મળી હતી. ઉત્તર ઝોનના એડિશનલ સિટી ઇજનેર ગોપાલ પટેલ અને આસિસ્ટન્ટ ઇજનેર દિલીપ પ્રજાપતિ દ્વારા ઠક્કરબાપાનગર વિસ્તારમાં સ્થાનિક રહીશો સાથે પાણીના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવાની જગ્યાએ ગેર વર્તણુક કરી હતી જે બાબતે બંને અધિકારીઓને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. લાઇટો બંધની ફરિયાદ બાદ અધિકારીઓનો શો-કોઝ નોટિસ શહેરા સીટીએમથી રામોલ તરફ જતા ઓવરબ્રિજ ઉપર લાઈટ વિભાગ 15 દિવસથી લાઇટો બંધ હોવા અંગેની સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી જે કામગીરીમાં ગંભીર બેદરકારી બદલ લાઈટ વિભાગમાં ફરજ બજાવનારા ડેપ્યુટી સિટી ઇજનેર કિરીટ દેદોલીયા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર સંજય જેઠવા, આસિસ્ટન્ટ ઇજનેર હિતેન્દ્રસિંહ પી સોલંકી અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર શંભુભાઈ જીંજાળાને પણ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. ફાયર વિભાગની ભરતીમાં પેપર એજન્સીને યોગ્ય રીતે સિલેબસ આપવામાં આવ્યું નહોતું જેને લઈને સેન્ટ્રલ ઓફિસના આસિસ્ટન્ટ મેનેજર પ્રવીણ સાવલિયાને પણ શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. સફાઈ કામદારોને પણ શો-કોઝ નોટિસ આપવામાં આવી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇજનેર વિભાગ, સેન્ટ્રલ ઓફિસ, જન્મ મરણ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્નાનાગાર વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને શો-કોઝ નોટીસ ફાટાવવામાં આવી છે. શાહીબાગના ગિરધરનગર, સાબરમતી, બોડકદેવના માનસી સર્કલ વિસ્તારમાં યોગ્ય રીતે સાફ સફાઈ ન કરવામાં આવી હોવાને લઈને સફાઈ કામદારોને પણ શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. કયા કયા અધિકારીઓ-કર્મચારીઓને નોટિસ
    Click here to Read More
    Previous Article
    PM મોદીના સ્વાગત માટે જામનગર સજ્જ:સમગ્ર રૂટ પર રોશનીનો શણગાર, લાલબંગલા સર્કલ ખાતે અભિવાદન, લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ
    Next Article
    West Bengal New CM Announcement Live | સુવેન્દુ બન્યાં નવા મુખ્યમંત્રી | Suvendu Adhikari

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment