Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવ્ય લગ્નોત્સવનું આયોજન:સમસ્ત કોળી જ્ઞાતિના સમૂહલગ્નમાં દિકરીઓને રજવાડી રથમાં બેસાડી રાજમાર્ગો પર 13 કિમીનું ફૂલેકુ નિકળશે

    11 hours ago

    રાજકોટના આંગણે સતત બીજા વર્ષે સમસ્ત કોળી એકતા ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજની 15 દિકરીઓના શાહી જાજરમાન સમુહલગ્ન તા.3 મે રવિવારના રોજ સાંજે 4 વાગ્યે લકકીરાજ પાર્ટી પ્લોટ, આજી ડેમ ચોકડી, મહીકાના પાટીયા પાસે, રાજકોટ ખાતે યોજાશે. આ લગ્નોત્સવમાં દિકરીઓને કરીયાવરમાં 101 થી વધારે ઘરવપરાશની વસ્તુઓ દાતાશ્રીઓના સાથ સહકારથી આપવામાં આવશે. તેમજ મહેમાનો અને જાનૈયાઓ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. સમસ્ત કોળી સમાજના સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, સામાજીક આગેવાનો, ડોક્ટરો, વકિલો, ઉદ્યોગપતિઓ, સરકારી કર્મચારીઓ, વિવિધ ક્ષેત્રના સમાજ શ્રેષ્ઠીઓ, તેમજ સમાજની વિવિધ સંસ્થાઓ અને સર્વે જ્ઞાતિના મહાનુભાવો આ સમુહલગ્નમાં ઉપસ્થિત રહેશે. આ તકે સંસ્થાના પ્રમુખ અને આ સમુહલગ્ન ઉત્સવના મુખ્ય આયોજક કલ્પેશભાઈ બાવરીયાએ જણાવ્યું હતું કે, લગ્નોત્સવમાં કોઇ પણ પ્રકારની કે લોકોની મર્યાદા રાખવામાં આવી નથી. જેમાં વર, કન્યા અને જ્ઞાતિના સહિત 8 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે, લગ્નોત્સવમાં તમામ જ્ઞાતિનો સહયોગ રહ્યો હોવાથી સર્વજ્ઞાતિને આ આયોજનમાં પધારવા સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અવસરના અધ્યક્ષ સ્થાને કુંવરજી બાવળીયા છે તથા અતિથિ વિશેષમાં પરષોત્તમ રૂપાલા, ઉદય કાનગડ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહેશે. રવિવારે બપોરે 2:00 વાગ્યે જાન આગમન, 2:30 વાગ્યે સામૈયા, 7:15 વાગ્યે ભોજન સમારોહ અને રાત્રી 10:30 વાગ્યે વિદાય સમારોહનું આયોજન કરાયું છે. આ આયોજનમાં ધીરૂભાઈ ધોળકીયા, અમીતભાઈ ધોળકીયા, બાબુભાઈ વસવેલીયા, શૈલેષભાઈ માલમ, પ્રવિણભાઈ અબાસણીયા તથા સહ આયોજક ટીમ, મહિલા સંગઠન ટીમ સમુહલગ્નને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. માહિતી માટે 7984594424 પર સંપર્ક કરવાનો રહેશે. વર કન્યાની રજવાડી એન્ટ્રી સાથે કેક સેરેમની સહિતના આયોજન સમુહલગ્નની આયોજક ટીમ દ્વારા સમુહલગ્નમાં કન્યા માટે સ્થળ પર બ્યુટીપાર્લરની વ્યવસ્થા કરી છે આ ઉપરાંત વર કન્યાની રજવાડી એન્ટ્રી સાથે કેક સેરેમની અને વર કન્યાને રથમાં બેસાડીને રાજકોટના રાજમારર્ગો પર 13 કિમીનું ફુલેકુ કાઢવામાં આવશે અને ડી.જે. સાથે વાજતે-ગાજતે લગ્ન મંડપમાં લઈ જવામાં આવશે. લગ્નોત્સવમાં 5 નિરાધાર દિકરીઓના સંપુર્ણપણે નિ:શુલ્ક લગ્ન યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ડમી વિદ્યાર્થીઓના કૌભાંડને જબડાતોડ જવાબ આપવા નિર્ણય:NEET (UG)ના 48 કલાક પહેલાથી મેડીકલના વિદ્યાર્થીઓ ‘નજરકેદ’, 2-3 મેના રજા નહીં મળે
    Next Article
    સાવધાન!:રાજકોટમાં હીટ સ્ટ્રોકથી 48 કલાકમાં યુવક સહિત બેનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment