Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે 13 પાકિસ્તાની એરક્રાફ્ટ અને 11 બેઝ તબાહ કર્યા:ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાઓએ કર્યો નવો ખુલાસો

    9 hours ago

    ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠ પર જયપુરમાં ત્રણેય સેનાના વડાઓ એકઠા થયા છે. ગુરુવારે બપોરે સાઉથ વેસ્ટર્ન કમાન્ડમાં સેનાના અધિકારીઓએ કહ્યું- ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, આ તો માત્ર શરૂઆત છે. 65% હથિયારો હવે આપણા દેશમાં બની રહ્યા છે. સેના તે જ હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ભારત આતંકવાદ સામે લડતું રહેશે. પહેલગામ હુમલામાં માર્યા ગયેલા આપણા ભાઈ-બહેનોને આપણે પાછા લાવી શકતા નથી, પરંતુ એ સુનિશ્ચિત કરી શકીએ છીએ કે આવો હુમલો ફરી ન થાય. અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો અને ઓપરેશન માટે સંપૂર્ણ છૂટ આપવામાં આવી હતી. બીજી તરફ, સાંજે 5 વાગ્યે ઓપરેશન સિંદૂર સંબંધિત ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવશે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ત્રણેય સેનાના વડાઓ પણ પહોંચી ગયા છે.ગુરૂવારે બપોરે સાઉથ વેસ્ટર્ન કમાન્ડમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે. જેમાં લેફ્ટનન્ટ જનરલ ઝુબિન એ મિનવાલા, લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ કુમાર અને વાઇસ એડમિરલ એ એન પ્રમોદ સહિત સેનાના અનેક અધિકારીઓ હાજર છે. ઝુબિન એ. મિનવાલા ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (ઓપરેશન્સ) ના ડેપ્યુટી ચીફ છે, રાજીવ ઘાઈ મિલિટરી ઓપરેશન્સ અને ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફના ડિરેક્ટર જનરલ છે, એર માર્શલ અવદેશ કુમાર એર ઓપરેશન્સ ના ડિરેક્ટર જનરલ છે, અને વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદ નેવલ ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આ ત્રણ અધિકારીઓએ ભારતીય સેના, વાયુસેના અને નૌકાદળ વતી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહીં… ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન અને ડેપ્યુટી ચીફ ઑફ આર્મી સ્ટાફ રાજીવ ઘઈ એ કહ્યું- 65% હથિયારો હવે આપણા દેશમાં બની રહ્યા છે. સેના તે જ હથિયારોનો ઉપયોગ કરી રહી છે. ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, હજુ તો શરૂઆત છે. ઘઈ એ દુષ્યંત કુમારના શેર સંભળાવ્યા. કહ્યું- સિર્ફ હંગામા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિએ.. ભારત આતંકવાદ સામે લડતું રહેશે. ભારત પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક પગલું ભરશે. 7 મે 2025 ના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ 7 લક્ષ્યોને અને ભારતીય વાયુસેનાએ 2 લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાનના 100 થી વધુ જવાનો અને ટેરરિસ્ટ કેમ્પમાં 100 થી વધુ આતંકવાદીઓના મોત થયા છે. સખત માર ખાધા પછી વિરોધી પક્ષને સમજ આવી અને તેમણે યુદ્ધવિરામની માંગ કરી. જ્યારે આ વિનંતી આવી, ત્યારે અમે કાર્યવાહી રોકી. અમે પાછા હટ્યા, પરંતુ અમે નબળાઈ બતાવી નહીં. અમે અમારો સંદેશ આપી ચૂક્યા હતા અને તે સંદેશ બિલકુલ સ્પષ્ટ હતો કે કોઈપણ દુસ્સાહસનો જવાબ આપવામાં આવશે અને આતંકવાદી ગતિવિધિઓની કિંમત ચૂકવવી પડશે. ઓપરેશન સિંદૂર સંબંધિત ફિલ્મના શોર્ટ્સ જુઓ… પળે પળના એપડેટ્સ માટે નીચેના બ્લોગ પરથી પસાર થાવ…
    Click here to Read More
    Previous Article
    Suvendu Adhikari PA Chandranath Rath Case: चंद्रनाथ रथ मौ*त मामले में चौंकाने वाला खुलासा! | Bengal
    Next Article
    રાજકોટમાં છેવાડાના વિસ્તારો ટેન્કરના ભરોસે:ઉનાળાનાં પ્રારંભે જ વોર્ડ નં-11, 12 અને 18 ના અનેક વિસ્તારોમાં પાણીનો પોકાર, તંત્રની 'નલ સે જલ' યોજના સામે સવાલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment