Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્યાસપુરમાં 120થી વધુ ઝૂંપડા બળીને ખાખ:ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો, મોટાભાગના ઝૂંપડાઓમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી

    2 days ago

    શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન નજીક ફતેવાડી કેનાલ પસાર થાય છે. જ્યાં કેનાલની સમાંતર આવેલા ઝૂંપડાઓમાં આજે 10 જૂને બપોરે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવ્યા હતા. જો કે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો. 120થી વધુ ઝૂંપડા આગમાં બળીને ખાક મળતી માહિતી પ્રમાણે, શહેરના ગ્યાસપૂર મેટ્રો સ્ટેશન પાસેના કેનાલની બાજુમાં ઝૂંપડાઓમાં બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યાં આસપાસમાં 200થી વધુ ઝૂંપડાઓ છે. એમાંથી 120થી 150 જેટલા ઝૂંપડા આગની ઝપેટમાં આવતા ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. એટલે કે ફાયર બ્રિગેડની 16 ગાડીઓ ઘટના સ્થળ પર રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લેવામાં આવી છે. ઝૂંપડાઓ કુલિંગ પ્રોસેસ કરી દેવામાં આવ્યું છે. આગની ઘટના સમયે મોટાભાગના ઝૂંપડાઓમાં કોઈ વ્યક્તિ હાજર ન હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ નથી. 'ઝૂંપડામાં આગ લાગી ત્યારે કોઈ હાજર ન હતું' પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ઓફિસર મનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આ મેટ્રો સ્ટેશનની બાજુમાં ઝૂંપડામાં બપોરે 3 વાગ્યાની આપસપાસ આગ લાગી હતી. ઝૂંપડાવાળા એ બધાય મજૂરી કામ કરવાવાળા માણસો છે. એ તમામ અત્યારે કામે ગયેલા છે. અહીં કોઈ હાજરમાં હતું નહીં, પણ આજુબાજુમાં રહેતા હોય એમને બધા લોકોએ મદદ કરી અને તમામ પ્રકારના જે સામાન એમનો હતો, જેટલો હાથમાં આવ્યો એટલો બચાવ્યો છે અને સંપૂર્ણ આપણે આગ બુઝાવી દીધી છે. મનુભાઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, અંદાજે 200ની આસપાસ ઝૂંપડા ગણી શકાય. ઝૂંપડાઓમાં આગનું કારણ અમને હજુ કઈ જાણવા મળ્યું નથી. અહીંયા ઘણી વાર આગ લાગવાની ઘટના બની છે. હું જ અહીંયા મારી ટ્રાન્સફર થયા પછી 3-4 વખત આવી ચૂક્યો છું. ઘણીવાર ઝૂંપડપટ્ટીમાં જ આગ લાગે અને આ જ વિસ્તારમાં લાગે છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં ટી.બી. મુક્ત અભિયાન હેઠળ સફાઈ કર્મચારીઓ માટે કાર્યક્રમ:જાગૃતિ માટે ટી-શર્ટ, ટોપીનું વિતરણ, લક્ષણો અને સારવારની માહિતી અપાઈ
    Next Article
    'Offer Has To Come From Trinamool': Congress Sources Amid Merger Buzz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment