Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર કેન્દ્રનું ઉદ્ઘાટન:સેટેલાઇટના સદવિચાર પરિવાર ખાતે 12મું સારવાર કેન્દ્ર શરૂ

    1 week ago

    જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર દ્વારા સેટેલાઇટ ખાતે સદવિચાર પરિવારમાં તેના ૧૨મા સારવાર કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સદવિચાર પરિવારના પ્રમુખ સિદ્ધાર્થ મણકીવાલા, ઉપપ્રમુખ દર્શિતભાઈ, લાયન્સ ક્લબ ઓફ સદવિચારના સ્મિતાબેન અને સુહાની ફાઉન્ડેશનના સુહાસભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં ૭૫ જેટલા લોકોએ ભાગ લીધો હતો. જય ભગવાન એક્યુપ્રેશર અને સુહાની ફાઉન્ડેશનના શ્રી સુહાસભાઈ શાહનું ઉપરણું અને માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જય ભગવાનના સેવા આપતા સાથીદારો અલકાબેન સોલંકી, માનસી ધનાણી, માલતીબેન બારભૈયા અને પોરસભાઈ મજમુદારનું ગુલાબના ફૂલ અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. સમયના અભાવને કારણે ઉદ્ઘાટનના દિવસે ફક્ત ૧૫ જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. આ નવું કેન્દ્ર હવેથી દર સોમવારે અને બુધવારે સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન નિયમિતપણે સારવાર સેવાઓ પૂરી પાડશે.નગરજનો અને ખાસ કરીને સેટેલાઇટ વિસ્તારના રહેવાસીઓને આ નિઃશુલ્ક સારવાર સેવાનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં મહિલા સ્વરોજગાર અને રોજગાર મેળો યોજાયો:મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો, આત્મનિર્ભરતા પર ભાર
    Next Article
    બ્રહ્મલીન ભારતી બાપુની પાંચમી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી:​ગિરનારની ગોદમાં ગુંજશે સંતવાણી: મહામંડલેશ્વર ભારતી બાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે હરિહરાનંદ ભારતીજીના સાનિધ્યમાં યોજાયો ભવ્ય સંત ભંડારો અને ધાર્મિક મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment