Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૂર્યદેવનું મીન રાશિમાં ગોચર:કર્ક અને કુંભ જાતકોના ધન-વૈભવમાં વધારો થશે, સિંહ જાતકોના મિલકતના પ્રશ્નો ઉકેલાશે; જાણો મીનારકની 12 રાશિ પર શું અસર થશે

    12 hours ago

    ફાગણ વદ અગિયારસ એટલે કે 14 માર્ચ 2026થી મીન સંક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે. સૂર્યએ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મીન સંક્રાંતિની તારીખને લઈને પંચાંગમાં મતભેદ છે. કેટલાક પંચાંગમાં 14 માર્ચના રોજ અને કેટલાક પંચાંગમાં 15 માર્ચના રોજ મીન સંક્રાંતિ ઉજવવાની સલાહ આપવામાં આવી છે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે, ગઈકાલે 14 માર્ચની મધ્યરાત્રે 01:02 વાગ્યે સૂર્યનું રાશિ પરિવર્તન થયું છે. ગુરુ-ગૃહે પ્રવેશ કરશે સૂર્યદેવ મીન રાશિના સ્વામી ગુરુ છે. સૂર્યના મીન રાશિમાં પ્રવેશ સાથે ખરમાસની શરૂઆત થઈ ગઈ છે. તેને મીનારક પણ કહે છે. પૌરાણિક માન્યતા અનુસાર, સૂર્યદેવ ખરમાસના દિવસોમાં પોતાના ગુરુ એટલે કે બૃહસ્પતિની સેવા કરે છે. મીનારકમાં કેમ શુભ કાર્યો થતા નથી? સૂર્ય પંચદેવોમાં સામેલ છે. લગ્ન, ગૃહ પ્રવેશ જેવા તમામ માંગલિક કાર્યોની શરૂઆત પંચદેવોની પૂજા સાથે જ થાય છે, પરંતુ ખરમાસના દિવસોમાં સૂર્ય ગુરુની સેવામાં વ્યસ્ત રહે છે અને તેઓ અન્ય કોઈ શુભ કાર્યમાં ઉપસ્થિત થતા નથી. આ માન્યતાને કારણે ખરમાસમાં શુભ મુહૂર્ત રહેતા નથી. જાણો તમામ 12 રાશિઓ માટે કેવો રહેશે મીન રાશિનો સૂર્ય... સૂર્યની સ્થિતિના લીધે તમારા જૂના અટકેલા કાર્યો પૂરાં થઈ શકે છે. અચાનક કોઈ સારી લાભની વાત બનવાની શક્યતા છે. નોકરી અને વેપારમાં પણ પ્રગતિ થશે. મતભેદ સુધારવાની તક મળશે. ધીમે ધીમે પોતાના કામકાજમાં સંતોષ વધશે. આ સમયે અંગત વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન રાખવો. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થશે. મુસાફરીમાં ઉત્સાહ વધશે. કોઈ ધાર્મિક કાર્ય પણ થવાની શક્યતા છે. જૂના પરિચિતોને મળવાના યોગ પણ વધુ જણાય છે મીનારક દરમિયાન મિત્રો અને પરિચિતો સાથે સંબંધ વધશે. કોઈ લાભની વાત પણ થઈ શકે છે. શારીરિક પીડા ઓછી થશે. શરીરમાં સ્ફૂર્તિ વધશે. સાહસી વિચારો આવશે. કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગશે. નોકરીમાં બદલી, બઢતી કે નવી તક મળશે. વેપારમાં પ્રગતિ થશે. કોઈ અણધાર્યો લાભ પણ મળશે. જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવી શકે છે. આરોગ્ય સુખાકારી વધશે. તમે કૌટુંબિક કાર્યમાં યોગદાન આપશો. ઘર, પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળશે. જમીન-મકાન સંબંધિત પ્રશ્નો ઉકેલાઈ શકે છે. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળવાની શક્યતા છે. આરોગ્ય બાબતે કોઈ પીડા હશે, તો તેમાં રાહત મળશે. વિદેશ યાત્રા થવાની સંભાવના છે. વિવાદ ચાલતો હોય, તો તેનો ઉકેલ આવવાના યોગ પણ છે. આર્થિક અને કૌટુંબિક બાબતે સારું સુખ મળશે. અશાંત મન ધીરે ધીરે શાંતિ તરફ વળશે, જેથી મનનો ઉદ્વેગ ઘટશે. ભાઈ-બહેન અને કુટુંબ અંગે સારું કામ થશે. આત્મબળ અને હિંમતમાં વધારો થશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે. તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. કોઈ નવા સંબંધનો વિકાસ પણ થશે. નોકરીમાં કોઈ સારી તક મળશે. જોકે, ખટપટથી દૂર રહેવું સારું રહેશે. લાંબા અંતરની મુસાફરી કરી શકો છો. નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે. કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન પણ આપી શકો છો. તમારે લાગણીઓમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું પડશે. તમે કોઈ નવી જાણકારી મેળવી શકશો કે નવી વસ્તુ શીખી શકશો. તમારા કાર્યમાં ભાગ્યનો સાથ મળશે. ભાઈ, બહેન અને મિત્રોનો સહકાર વધશે. તમારો ઉત્સાહ જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય સુખાકારીમાં વધારો થશે. વિદ્યાભ્યાસમાં સારા યોગ બને છે. લાગણી સંતોષાશે. જાહેર જીવનમાં પ્રતિભા વધવાની શક્યતા છે. યાત્રા કે ધાર્મિક કાર્ય સંભવિત છે. સૂર્યના મીનારક પ્રવેશથી નસીબનો સાથ મળશે. ધન-વૈભવમાં વધારો થશે. વાણી પર પ્રભુત્વ વધશે. જમીન-મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે છે. નોકરીમાં કોઈ પ્રશ્ન હોય, તે ઉકેલાશે. નવી નોકરી કે બઢતી મળે, તેવું પણ બની શકે. કુટુંબમાં ચાલી રહેલા અણબનાવમાં પણ સુધારો આવી શકે છે. સૂર્યના રાશિ પ્રવેશથી મુસાફરીના યોગ બને છે. કોઈ સ્વાસ્થ્ય તકલીફ હોય, તો તેનું પણ નિદાન થઈ શકે છે. આસપાસના વર્તુળોમાં જેમ કે, પડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બનશે. જૂના મતભેદ ભૂલવાની તક મળશે. જ્યોતિષાચાર્યના મતે, તા. 14 માર્ચ 2026થી તા. 14 એપ્રિલ 2026 સુધી મીનારક હોવાથી લગ્ન મુહૂર્ત નથી. અન્ય કોઈ ધાર્મિક વિધાન અંગે સ્થાનિક વિદ્વાનનું માર્ગદર્શન લેવું હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    વાસ્તુ દોષથી બચો!:રસોઈઘર, જમવાની દિશા અને રંગોનું સાચું ગણિત, સકારાત્મક પરિવર્તન માટે સાચા વાસ્તુને જાણો ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉ.પંકજ નાગર પાસેથી
    Next Article
    આ સપ્તાહ કેવું રહેશે?:મિથુન-કુંભ રાશિના જાતકોને મહેનતનું મીઠું ફળ મળશે, મેષ-સિંહ રાશિ માટે વિદેશ પ્રવાસના યોગ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment