Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નેપાળમાં પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા 12 ગુજરાતી ગુમ:ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સર્ચ ઓપરેશન તેજ, પરિવારોના જીવ અદ્ધર

    12 hours ago

    નેપાળમાં આવેલા ભયાનક પૂરથી કૈલાશ માનસરોવર યાત્રાએ ગયેલા ગુજરાતના યાત્રિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની યાદી મુજબ ગુજરાત સાથે જોડાયેલા કુલ 12 યાત્રાળુઓ ગુમ થયા છે અથવા કોઈ સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાહત-બચાવ કામગીરી અને સંપર્કના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: 43 ગુજરાતીઓ નીકળ્યા'ને નેપાળમાં ભયંકર દુર્ઘટના સર્જાઈ કન્ટ્રોલ રૂમમાં નોંધાયેલી વિગતો મુજબ ગુમ થયેલા 12 લોકોમાં અમદાવાદના 3, આણંદના 2, સુરતના 3, વલસાડના 1, રાજકોટના 1 તેમજ મૂળ ગુજરાતી એવા યુએસએના 1 અને ઓસ્ટ્રેલિયાના 1 નાગરિકનો સમાવેશ થાય છે. આ તમામ યાત્રિકો વિવિધ ટ્રાવેલ એજન્સીઓ મારફતે માનસરોવર યાત્રાના કેરુંગ રૂટ પર ગયા હતા. ફ્રેન્ડશિપ બ્રિજ અને બોર્ડર વિસ્તારમાં સંપર્ક તૂટ્યો કેટલાક યાત્રાળુઓ રસુવાગઢી-કેરુંગ બોર્ડર પર ભોટે કોશી નદી અને ફ્રેન્ડશિપ બ્રિજ નજીક હતા ત્યારે પૂરની ઝપટમાં આવી જતાં સંપર્કવિહોણા બન્યા હતા. મોટાભાગના યાત્રિકોનો છેલ્લા 24 કલાકથી સંપર્ક થઈ શક્યો નથી. જેને કારણે ગુજરાતમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર અને નેપાળના ઇમર્જન્સી સેન્ટરના સતત સંપર્કમાં રહી બચાવ કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતીમાં એસટીની અડફેટે વૃદ્ધનું મોત:ONGC પાસે પૂરપાટ એસટી બસે રોડ ક્રોસ કરતા 70 વર્ષના ગજાજી મારવાડીને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત
    Next Article
    પ્રશાસક પ્રફુલ્લ પટેલના 10 વર્ષ પૂર્ણ થતાં ખાનવેલમાં બાઇક રેલી:દાદરા નગર હવેલીમાં વિકાસના 10 વર્ષની ઉજવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment