Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતાના અવસાનના સમાચાર વચ્ચે પુત્રીએ ધો.12 બોર્ડનું પેપર આપ્યું:પુત્રીને પરીક્ષા કેન્દ્ર પર મૂકીને પરત ફરતી સમયે ડિહાઈડ્રેશનના કારણે ચક્કર આવ્યા બાદ મોત

    15 hours ago

    સુરત શહેરમાં વધતી ગરમી અને હિટવેવના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ વચ્ચે એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. પોતાની લાડકવાઈ દીકરીને ધોરણ-12 કોમર્સની બોર્ડની પરીક્ષાના કેન્દ્ર પર મૂકીને પરત ફરી રહેલા કઠોર પ્રાથમિક શાળાના શિક્ષક રસ્તામાં જ બેભાન થઈ ઢળી પડ્યા હતા અને ટૂંકી સારવાર બાદ તેમનું નિધન થયું હતું. મૃતક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર અને કામરેજ વિસ્તારમાં આવેલી અંબિકા રેસિડન્સીમાં 50 વર્ષીય ભવાનભાઈ સીથરભાઈ હડિયા પરિવાર સાથે રહેતા હતા. તેઓને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. ભવાનભાઈ કઠોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરી દીપ્તિની હાલ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેથી તે રોજ દીકરીને પરીક્ષા કેન્દ્ર પર મુકવા જતા હતા અને ત્યાંથી પરત લેવા પણ જતા હતા. પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા અને ઢળી પડ્યા ગતરોજ બપોરે ભવાનભાઈ પોતાની ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતી પુત્રી દિપ્તીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું બોર્ડનું પેપર હોવાથી આબ્રામા પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કૂલમાં બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર મોપેડ પર મૂકવા ગયા હતા. પુત્રીને પરીક્ષા કેન્દ્ર પર મુક્યા બાદ તેઓ મોટા વરાછા ખાતે એ.આર. મોલમાં આવેલી પોતાના પુત્રની ઓફિસ તરફ જવા નીકળ્યા હતા. તેઓ પુત્રને મોબાઈલનું સ્ટેન્ડ આપવા જઈ રહ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો મોટા વરાછા ખાતે સુદામા ચોક નજીક અતિશય ગરમીના કારણે ભવનભાઈને ડિહાઇડ્રેશન થયું હતું. જેના કારણે તેઓને ચક્કર આવતા તેઓ ચાલુ મોપેડ પરથી બેભાન થઈ રોડ પર ઢળી પડ્યા હતા. આસપાસના લોકોએ તરત જ તેમને બેભાન હાલતમાં સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અચાનક બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પિતાના મોતને પગલે બંને સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. આ અંગે વધુ તપાસ ઉત્રાણ પોલીસ કરી રહી છે. પિતાના મોતના સમાચાર વચ્ચે પરીક્ષા આપી આ ઘટનામાં સૌથી વધુ હૃદયસ્પર્શી બાબત પુત્રી દિપ્તીની હિંમત રહી છે. એક તરફ પિતાના મોતના સમાચાર મળ્યા હતા, તેમ છતાં પિતાનું સપનું પૂરું કરવા દિપ્તીએ ભારે હૈયે ધીરજ રાખીને સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર પૂર્ણ કર્યું હતું. એટલું જ નહીં, આગામી 17મી માર્ચે આવનારું છેલ્લું પેપર પણ તે આપશે તેવો મક્કમ નિર્ધાર કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- કોંગ્રેસે આસામના યુવાનોને ગેરમાર્ગે દોર્યા:તેમને આતંકવાદના રસ્તે ધકેલી દીધા; ભાજપે સરકારી નોકરીઓના દરવાજા ખોલ્યા
    Next Article
    સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની હોટલો, ગેસ ગોડાઉનો પર તપાસ:ગેરકાયદેસર ગેસ સિલિન્ડરના વપરાશ અને સંગ્રહખોરી અટકાવવા કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment