Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ યોજાઈ:વડાપ્રધાનના 12 વર્ષના કાર્યકાળની સિદ્ધિઓ રજૂ કરાઈ

    5 days ago

    પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય, શ્રી કમલમ, ગોધરા ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદ '12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના' કાર્યક્રમ અંતર્ગત યોજાઈ હતી. આ પત્રકાર પરિષદમાં પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, જિલ્લા સંગઠન પ્રભારી હર્ષદ વસાવા, ગુજરાત પ્રદેશ સંગઠનના ઉપાધ્યક્ષ અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર, પંચમહાલ ભાજપ સંગઠનના મહામંત્રી કુલદીપસિંહ સોલંકી અને 5 જૂનથી 21 જૂન સુધી ચાલનારા કાર્યક્રમના ઇન્ચાર્જ ડૉ.યોગેશ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પત્રકારોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન પદે સૌથી વધુ દિવસો પૂર્ણ કરવા બદલ તેમને શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી હતી. દેશના સર્વાંગી વિકાસની સાથે પંચમહાલ જિલ્લામાં થયેલા નોંધપાત્ર વિકાસ કાર્યોની પણ ચર્ચા કરવામાં આવી હતી અને તેની વિગતવાર માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વેજલપુરમાં 700થી વધુ લોકોએ રજો મહોત્સવ ઉજવ્યો:અમદાવાદમાં ઓડિશાના લોકપ્રિય તહેવારની ધામધૂમથી ઉજવણી
    Next Article
    Gujarat Farmers Protest LIVE | 5 વાગ્યે ખેડૂતોની યાત્રામાં બે ફાટા, ખેડૂતોએ રસ્તો જામ કર્યો | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment