Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંક ઓફ બરોડાનો 119મો સ્થાપના દિવસ ઉજવાયો:સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ ખાતે વૃક્ષારોપણ કરાયું

    1 day ago

    બેંક ઓફ બરોડા દ્વારા તેના 119મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે સુરેન્દ્રનગરના પ્રજ્ઞાચક્ષુ સેવા કુંજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પદ્મશ્રી મુક્તાબેન ડગલી, સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ અને ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સુરેન્દ્રનગર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કોમલબેન સંધવી, બેંક ઓફ બરોડાના મેનેજર અવિનાશ કુમાર, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહિલા મોરચાની બહેનો, કાર્યકર્તાઓ અને નગરજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ દ્વારા ચલાવવામાં આવતા બ્યુટી પાર્લરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ અભિયાન:અમદાવાદના સિંગરવામાં આવેલી એમ.એમ. ગર્લ્સ સ્કૂલમાં વૃક્ષો વાવવામાં આવ્યા
    Next Article
    संसद जाने से रोका तो भड़क गए छात्र! Sansad March | CJP Protest | Abhijeet Dipke | Sonam Wangchuk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment