Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુઆહારમાં કેમિકલ યુરિયાની ભેળસેળ:યુરિયાયુક્ત દૂધ પીવાથી વ્યક્તિની કિડની-લિવર ફેલ થવાનું જોખમ, પશુપાલકોએ 11 બાબતો ધ્યાનમાં રાખવી

    1 day ago

    દૂધમાં પાણી, ડિટર્જન્ટ અને સિન્થેટિક કેમિકલ્સની ભેળસેળના સમાચાર અવારનવાર આવતા રહે છે. હવે ભેળસેળનો ખેલ પશુઓના ચારા સુધી પહોંચી ગયો છે. ચિંતાની વાત એ છે કે તેની અસર પશુઓની સાથે આપણા સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. તાજેતરમાં રાજસ્થાનમાંથી પશુઆહારમાં નિર્ધારિત મર્યાદા (1%) કરતાં વધુ (લગભગ 1.5% થી 4% સુધી) યુરિયા ભેળવવાનો મામલો સામે આવ્યો છે. વધુ ચિંતાની વાત એ છે કે, તેમાં ફીડ ગ્રેડને બદલે ખરાબ ગુણવત્તાનું યુરિયા ભેળવવામાં આવી રહ્યું છે. મર્યાદિત માત્રામાં 'ફીડ ગ્રેડ યુરિયા'નો ઉપયોગ પશુઓના પોષણ માટે કરવામાં આવે છે. પરંતુ જરૂરિયાત કરતાં વધુ કે ખરાબ ગુણવત્તાનું યુરિયા પશુઓના સ્વાસ્થ્યને બગાડી શકે છે. તેની અસર દૂધની ગુણવત્તા પર પણ પડે છે. નિષ્ણાતોના મતે, વધુ યુરિયાવાળો પશુઆહાર ખાતી ગાય-ભેંસના દૂધથી કિડની અને લિવર ડેમેજનું જોખમ થઈ શકે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં જાણીશું કે- નિષ્ણાત: પ્રશ્ન- પશુઆહારમાં કઈ વસ્તુઓની ભેળસેળ કરવામાં આવી રહી છે? જવાબ- તાજેતરમાં રાજસ્થાનમાંથી પશુઆહારમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ યુરિયા ભેળવવાનો મામલો સામે આવ્યો છે. ભેળસેળ કરનારાઓ આ ઉપરાંત ખરાબ અનાજ, ભૂસું, કૃષિ કચરો અને સસ્તા ફિલર્સ પણ ભેળવે છે. આનાથી પશુઓના સ્વાસ્થ્ય, દૂધ ઉત્પાદન અને દૂધની ગુણવત્તા પ્રભાવિત થઈ શકે છે. પ્રશ્ન- પશુઆહારમાં યુરિયા શા માટે ભેળવવામાં આવે છે? જવાબ- યુરિયા પશુઓ માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી. પ્રશ્ન- ફીડ ગ્રેડ યુરિયા અને ઇન્ડસ્ટ્રિયલ યુરિયા વચ્ચે શું તફાવત છે? જવાબ- ફીડ ગ્રેડ અને ઔદ્યોગિક બંને યુરિયા છે, પરંતુ તેમની ગુણવત્તા અને ઉપયોગના હેતુઓ અલગ હોય છે. પ્રશ્ન- વધુ યુરિયાવાળો પશુઆહાર ખાવાથી ગાય-ભેંસને શું નુકસાન થઈ શકે છે? જવાબ- પશુઆહારમાં નિર્ધારિત ધોરણ કરતાં વધુ યુરિયા હોવા પર ગાય-ભેંસને અનેક સ્વાસ્થ્ય જોખમો થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં તે જીવલેણ પણ હોઈ શકે છે. તમામ જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું પશુઆહારમાં વધુ યુરિયા હોવાથી દૂધમાં પણ યુરિયા વધી શકે છે? જવાબ- હા, જો પશુ લાંબા સમય સુધી જરૂરિયાત કરતાં વધુ યુરિયાવાળો પશુઆહાર ખાય, તો તેના શરીરમાં નાઇટ્રોજન અને યુરિયાનું સ્તર વધી શકે છે. તેની અસર દૂધની ગુણવત્તા પર પડે છે. આનાથી દૂધમાં યુરિયાનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ થઈ શકે છે. પ્રશ્ન- જો દૂધમાં યુરિયાનું પ્રમાણ વધુ હોય, તો તેને પીવાથી સ્વાસ્થ્યને શું જોખમ થઈ શકે છે? જવાબ- વધુ યુરિયાવાળું દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે, તમામ જોખમો ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- વધુ યુરિયાવાળું દૂધ પીવાથી બાળકોના સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે? જવાબ- બાળકોનું શરીર પુખ્ત વયના લોકોની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે. તેથી તેમના સ્વાસ્થ્ય પર ઝડપથી અને વધુ અસર થાય છે. આનાથી પાચન સંબંધિત સમસ્યાઓ, નબળાઈ અને પોષણ અસંતુલન થઈ શકે છે. સાથે જ શારીરિક વૃદ્ધિ પર પણ નકારાત્મક અસર પડે છે. પ્રશ્ન- કયા લોકોને વધુ જોખમ હોય છે? જવાબ- લાંબા સમય સુધી હાઈ યુરિયા દૂધ લેવાથી કેટલાક લોકોને વધુ જોખમ હોય છે. તેને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- શું દૂધ જોઈને જાણી શકાય છે કે તેમાં યુરિયા વધુ છે? જવાબ- ના, દૂધ જોઈને એ જાણવું મુશ્કેલ છે કે તેમાં યુરિયા વધારે છે કે નહીં. તેની પુષ્ટિ લેબ ટેસ્ટ અથવા સ્પેશિયલ ટેસ્ટ કીટથી જ કરી શકાય છે. તેથી શંકા હોય તો દૂધની તપાસ કરાવવી જોઈએ. પ્રશ્ન- શું દૂધ ઉકાળવાથી આ જોખમ સમાપ્ત થઈ જાય છે? જવાબ- ના, દૂધ ઉકાળવાથી યુરિયા ખતમ થતો નથી. ઉકાળવાથી દૂધમાં રહેલા બેક્ટેરિયા તો નષ્ટ થઈ શકે છે, પરંતુ ઓગળેલો યુરિયા યથાવત રહે છે. પ્રશ્ન- દૂધ ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? જવાબ- કેટલીક મૂળભૂત સાવચેતીઓ રાખીને ભેળસેળ અને ખરાબ ગુણવત્તાવાળા દૂધનું જોખમ મોટાભાગે ઘટાડી શકાય છે. બધી જરૂરી સાવચેતીઓ ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- પશુપાલકોએ પશુઆહાર ખરીદતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? જવાબ- પશુઓના સારા સ્વાસ્થ્ય અને વધુ દૂધ ઉત્પાદન માટે પશુપાલકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેને ગ્રાફિકમાં જોઈએ- પ્રશ્ન- પશુઆહારની ગુણવત્તાનું નિરીક્ષણ કોણ કરે છે? જવાબ- તેનું નિરીક્ષણ મુખ્યત્વે રાજ્ય પશુપાલન વિભાગ અને સંબંધિત સરકારી લેબોરેટરીઓ દ્વારા કરવામાં આવે છે. તેઓ સમયાંતરે પશુઆહારના નમૂના લઈને તેનું પરીક્ષણ કરે છે. ધોરણોના ઉલ્લંઘન અથવા ભેળસેળ જણાય તો સંબંધિત ઉત્પાદક અને વિક્રેતા સામે કાર્યવાહી થઈ શકે છે. પ્રશ્ન- પશુઆહારમાં કેટલું યુરિયા ભેળવવાની મંજૂરી છે? જવાબ- પશુઆહારમાં મહત્તમ 1% સુધી ફીડ ગ્રેડ યુરિયા ભેળવવાની મંજૂરી છે. આનાથી વધુ માત્રા પશુઓના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આનાથી યુરિયા ટોક્સિસિટીનું જોખમ થઈ શકે છે. પ્રશ્ન- ખરાબ ગુણવત્તાનો પશુઆહાર વેચવા પર શું કાર્યવાહી થઈ શકે છે? જવાબ- આવા કિસ્સાઓમાં કાર્યવાહી સંબંધિત રાજ્યના નિયમો અને ભેળસેળની ગંભીરતા પર આધાર રાખે છે. પ્રશ્ન- જો દૂધની ગુણવત્તા પર શંકા હોય, તો ક્યાં ફરિયાદ કરવી? જવાબ- તેની ફરિયાદ સ્થાનિક ફૂડ સેફ્ટી ઓફિસર અને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ (FSSAI) ને કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    કેરળમાં નિપાહ વાયરસનો કેસ મળ્યો:દેશમાં 8મી વખત ફેલાયેલું સંક્રમણ, 75% સુધી મૃત્યુ દર; ડૉક્ટર પાસેથી જાણો સારવાર અને બચાવ
    Next Article
    ઇચ્છાઓ સમુદ્રના મોજાં જેવી છે, એક પૂરી થાયને બીજી જન્મે!:સંતના નાનકડા પાત્ર સામે રાજાનો વૈભવ અને અહંકાર હાર્યા

    Related લાઈફ સ્ટાઈલ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment