Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ રેલ્વે સ્ટેશનથી "ભારત ગૌરવ" ટ્રેનનું પ્રસ્થાન:સૌરાષ્ટ્રનાં મુસાફરો માટે દક્ષિણ ભારતના પવિત્ર ધામોની 11 દિવસીય યાત્રાનો પ્રારંભ, યાત્રીઓમાં ભારે ઉત્સાહ

    15 hours ago

    ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના "એક ભારત શ્રેષ્ઠ ભારત" અને "દેખો અપના દેશ" ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આજે રાજકોટના આંગણેથી એક ઐતિહાસિક ક્ષણનું નિર્માણ થયું છે. ભારતીય રેલ્વે અને IRCTC (ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન) ના સંયુક્ત ઉપક્રમે વિશેષરૂપે તૈયાર કરાયેલી "ભારત ગૌરવ પ્રવાસન ટ્રેન" ને ગત સાંજે 5.10 વાગ્યે રાજકોટ રેલ્વે સ્ટેશન પરથી રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનને એક વરિષ્ઠ યાત્રી દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે ભારતીય પરંપરામાં વડીલોના સન્માનનું પ્રતીક છે. IRCTC પશ્ચિમ ક્ષેત્ર અમદાવાદના પ્રવક્તા જીતેન્દ્ર કુમાર જયંતે જણાવ્યું હતું કે, આ ટ્રેન ચલાવવાનો મુખ્ય હેતુ ભારતના સામાન્ય નાગરિકોને દેશના સમૃદ્ધ ધાર્મિક વારસાનો પરિચય કરાવવાનો છે. ખાસ કરીને જે લોકો પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે દક્ષિણ ભારતના અંતરિયાળ અને પવિત્ર સ્થળોએ જવા ઈચ્છે છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. IRCTC દ્વારા આ પ્રવાસનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે યાત્રીઓને ઘર જેવું વાતાવરણ અને તમામ સુવિધાઓ એક જ સ્થળે મળી રહે. રાજકોટ સ્ટેશન પર ટ્રેન રવાના થતી વખતે યાત્રીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સ્ટેશન 'જય શ્રી રામ' અને 'હર હર મહાદેવ' ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ટ્રેન કુલ 10 રાત અને 11 દિવસનો સમયગાળો દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં વિતાવશે. પ્રવાસ દરમિયાન શ્રદ્ધાળુઓને ભારતના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવશે. જેમાં આંધ્રપ્રદેશનું મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, તમિલનાડુનું રામેશ્વરમ જ્યોતિર્લિંગ, ભગવાન વેંકટેશ્વરનું ધામ તિરુપતિ બાલાજી, મદુરાઈનું ઐતિહાસિક મીનાક્ષી મંદિર અને ભારતનું અંતિમ છેડો ગણાતું કન્યાકુમારી સામેલ છે. આ યાત્રા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ પણ ભારતની વિવિધતા દર્શાવશે. દરેક સ્થળે યાત્રીઓને દર્શન માટે પૂરતો સમય મળી રહે તેવી રીતે સમયપત્રક ગોઠવવામાં આવ્યું છે. ઉપરાંત યાત્રીઓની જરૂરિયાત મુજબ ટ્રેનને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે. જેમાં (1) ઇકોનોમી ક્લાસ (સ્લીપર ક્લાસ નોન-એસી), (2) કમ્ફર્ટ ક્લાસ (3 એસી) અને (3) કમ્ફર્ટ ક્લાસ (2 એસી) નો સમાવેશ થાય છે. ટ્રેનમાં મુસાફરો માટે ખાસ 'ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ' લગાવવામાં આવી છે, જે સતત મુસાફરીના સ્થળો વિશે માહિતી આપશે અને ભક્તિ સંગીત તેમજ મનોરંજન પૂરું પાડશે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ ટ્રેન અત્યાધુનિક છે. દરેક કોચમાં ખાનગી સુરક્ષા ગાર્ડ તૈનાત રહેશે અને સમગ્ર ટ્રેન સીસીટીવી કેમેરાથી સજ્જ છે, જેથી મહિલાઓ અને વડીલો સુરક્ષિત અનુભવી શકે. ટ્રેનમાં સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ટીમની નિમણૂક કરવામાં આવી છે જે મુસાફરી દરમિયાન નિયમિત અંતરે સફાઈ કરશે. IRCTC એ મુસાફરોની સુખાકારી માટે વિશેષ પેકેજ તૈયાર કર્યું છે. ટ્રેનમાં એક હાઇટેક કિચન કાર રાખવામાં આવી છે, જેમાંથી મુસાફરોને તેમની સીટ પર જ શુદ્ધ અને પૌષ્ટિક શાકાહારી ભોજન (સવારનો નાસ્તો, લંચ અને ડિનર) પીરસવામાં આવશે. મુસાફરોને ટ્રેનમાંથી ઉતરીને વિવિધ સ્થળોએ જવા માટે એસી/નોન-એસી બસની સુવિધા આપવામાં આવશે. રાત્રિ રોકાણ માટે પ્રતિષ્ઠિત બજેટ હોટેલોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રત્યેક ગ્રુપ સાથે એક અનુભવી ગાઈડ રહેશે જે સ્થળના ઇતિહાસ વિશે માહિતી આપશે. તમામ યાત્રીઓનો અકસ્માત વીમો પણ આ પેકેજની કિંમતમાં જ આવરી લેવામાં આવ્યો છે, જે યાત્રીઓને માનસિક શાંતિ આપે છે. સરકારી કર્મચારીઓ માટે પણ આ એક મોટી તક છે, કારણ કે IRCTC દ્વારા આ ટૂર પેકેજમાં LTC (લીવ ટ્રાવેલ કન્સેશન) ની સુવિધા માન્ય રાખવામાં આવી છે. આનાથી નોકરિયાત વર્ગ પણ પોતાના પરિવાર સાથે આ પ્રવાસનો લાભ લઈ શકશે. યાત્રીઓએ આ પ્રવાસ માટે અગાઉથી જ ઓનલાઈન અથવા ઓફલાઈન માધ્યમથી બુકિંગ કરાવ્યું હતું અને આજે જ્યારે ટ્રેન રવાના થઈ ત્યારે સ્ટેશન પર યાત્રીઓના ચહેરા પર એક અલગ જ ખુશી અને આસ્થાના જોવા મળી હતી.રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી આવેલા યાત્રીઓએ આ પ્રવાસન રેલ્વેના આયોજનને બિરદાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટથી શરૂ થયેલી આ દક્ષિણ ભારતની યાત્રા 11 દિવસ બાદ સફળતાપૂર્વક પૂર્ણ કરી પરત ફરશે. આ પ્રવાસન ટ્રેન ભારતીય રેલ્વેના "પર્યટન દ્વારા રાષ્ટ્ર નિર્માણ" ના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. રેલ્વે તંત્ર અને IRCTC દ્વારા કરાયેલું આ સુવ્યવસ્થિત આયોજન ભવિષ્યમાં પણ આવા વધુ પ્રવાસો માટે માર્ગ મોકળો કરશે. જેના થકી અનેક નાગરિકો જુદા-જુદા સ્થળોનો આરામદાયક પ્રવાસ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    'વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા, ગુજરાત સરકાર એક્શન મોડમાં:ખાનગી કંપનીઓ એસોસિયેશનો સાથે બેઠક યોજીશું, મંત્રી કુંવરજી બાવળિયાનું સૂચક નિવેદન
    Next Article
    હવે આરોપીઓનો વરઘોડો નીકળશે નહીં:હિંસક ટોળા કે જાહેર રોષથી બચાવવાની જવાબદારી પણ પોલીસની; માનવ અધિકારોની જાળવણી માટે DGPનો આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment