Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મવડીમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી:વોર્ડ નં.11ની પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનશિપ આસપાસના વિસ્તારવાસીઓ પરેશાન, મેયર-મ્યુ. કમિશનરને રજૂઆત

    8 hours ago

    રાજકોટના વોર્ડ નંબર 11ના મવડી વિસ્તારમાં પીવાના પાણી સાથે ડ્રેનેજનું પાણી મિશ્ર થતાં લોકો અહીં દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનશિપ આસપાસના વિસ્તારવાસીઓનું આરોગ્ય જોખમમાં મૂકાવાનો ખતરો રહેલો છે ત્યારે સામાજિક કાર્યકર દ્વારા મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને રજૂઆત કરવામાં આવી છે. લોકોને પીવા અને ઘરવપરાશ માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માગ શહેરના વોર્ડ નં. 11 સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉનશિપ સહિત આસપાસના વિસ્તારમાં નળના પાણીમાં ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણી આવતું હોવાની ગંભીર ફરિયાદ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને કરવામાં આવી છે. સામાજિક કાર્યકર સવજીભાઈ ફળદુ અને પ્રવીણસિંહ રાઠોડે સ્થળ તપાસ કરાવી લોકોને પીવા અને ઘરવપરાશ માટે સ્વચ્છ પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. રજૂઆતમાં દૂષિત પાણીના કારણે ડાયેરિયા, તાવ સહિત ચેપી રોગો ફેલાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કોઠારીયા ચોકડી પાસેનો અંડરબ્રિજ માર્ગ ધોવાયો રાજકોટના હુડકો અંડરબ્રિજ નીચેનો મુખ્ય માર્ગ સંપૂર્ણ ધોવાઈ જતાં વાહનચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે. કોઠારીયા રોડ છેડે આવેલા આ માર્ગ પર કપચી પથરાઈ જતાં ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતનો ભય વધી ગયો છે. પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે માર્ગની હાલત અંગે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વરસાદ ખેંચાતા રાજકોટને ફરી ‘સૌની’ યોજનાનો સહારો જૂન પૂર્ણ થવા છતાં સંતોષકારક વરસાદ ન વરસતા રાજકોટ માટે ફરી ‘સૌની’ યોજના જીવનદાયી બની છે. આરએમસીની માંગ મુજબ આજી-1 ડેમમાં અત્યાર સુધી 90 એમસીએફટી નર્મદા નીર છોડવામાં આવ્યું છે. જ્યારે આજ સાંજથી ન્યારી-1 ડેમમાં પણ પાણી છોડવાની કાર્યવાહી શરૂ થશે. સિંચાઈ વિભાગે જણાવ્યું છે કે મહાનગરપાલિકાની જરૂરિયાત મુજબ બંને જળાશયોમાં પાણી છોડવાનું ચાલુ રહેશે. સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલને અદ્યતન સર્જિકલ સાધન અર્પણ રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમે સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ સેન્ટરને આધુનિક વેસેલ સીલિંગ જનરેટર ભેટ આપ્યો છે. આ અદ્યતન સાધનનું સફળ ઇન્સ્ટોલેશન થયા બાદ પ્રથમ સર્જરીમાં તેનો સફળ ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. સાધનથી સર્જરી દરમિયાન રક્તસ્ત્રાવ ઘટશે, દર્દીઓની ઝડપી સાજા થવાની પ્રક્રિયામાં મદદ મળશે અને કેન્સર સહિત વિવિધ પ્રકારની સર્જરી વધુ સુરક્ષિત અને અસરકારક બની શકશે.
    Click here to Read More
    Previous Article
    Viral Circling Cow:UP के Shravasti से हैरान कर देने वाला मामला,बीमारी पर भारी अंधविश्वास?Social List
    Next Article
    बिजनौर में जीजा ने साले को?????????

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment