Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પવિત્ર 108 કળશમાં જળ ભરી યાત્રા સાબરમતીથી નીજ મંદિરે રવાના:ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરાશે

    1 day ago

    અમદાવાદમાં આ વર્ષે 149મી રથયાત્રા યોજાવાની છે, તે પૂર્વે આજથી ઉજવણીનો પ્રારંભ થયો છે. આજે 29 જૂનને જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથીજીની ધામધુમથી મંદિરેથી જળયાત્રા નીકળી. સૌપ્રથમ 12 હાથી અને બાદમાં જય રણછોડના નાદ સાથે બળદગાડા મંદિર પ્રાંગણની બહાર નીકળી યાત્રાની શરૂઆત થઈ હતી. બેન્ડ-વાજા, ઢોલ-નગારા અને ગોવિંદ બોલો, ગોપાલ બોલો…જય જગન્નાથના નાદ સાથે યાત્રા સાબરમતી નદીના કિનારે પહોંચી હતી. સાબરમતી નદીના ભૂદરના આરે શાસ્ત્રોક્ત વિધિથી ગંગા પૂજન કર્યા બાદ સંતો અને મહાનુભાવો બોટ મારફતે નદીની વચ્ચે જઈને 108 પવિત્ર કળશમાં જળ ભર્યું. હવે આ જળ વડે મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો શોડષોપચાર પૂજા વિધિ સાથે ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ ભગવાન ગજવેશ (ગણપતિ સ્વરૂપ) ધારણ કરશે. સાંજે 4 વાગ્યે ભગવાન વાજતે-ગાજતે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં (પોતાના મોસાળમાં) પહોંચશે, જ્યાં મામાના ઘરે તેમનું ભવ્ય સ્વાગત કરાશે. ભગવાન આગામી 15 દિવસ સુધી મોસાળમાં જ રોકાશે, જ્યાં ભક્તો તેમના દર્શન કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    Khushbu defends wedding post after Bhagyaraj’s death: ‘My daughter just married’
    Next Article
    સુમુલ ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું:1000 કરોડના કથિત કૌભાંડના 'ડાઘી' નેતાઓને ભાજપે મેન્ડેટ આપ્યાનો આક્ષેપ, ધમકીના કારણે 5 બેઠક બિનહરીફ થઈ:દર્શન નાયક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment