Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક વર્ષમાં 10,008 વૃક્ષો પાછળના અસલી હીરોનું સન્માન કરાયું:વડોદરામાં આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંકલ્પ લીધો

    1 week ago

    વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ શરૂ થયેલું એક મહત્વાકાંક્ષી સંકલ્પ આજે શાળાઓ, વૃદ્ધાશ્રમો, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક સમાજો અને એરફોર્સ સ્ટેશન સુધી વિસ્તરેલી લોકભાગીદારી આધારિત પર્યાવરણીય ચળવળમાં પરિવર્તિત થયું છે. વાસુ ફાઉન્ડેશને સફળતાપૂર્વક ‘મિશન 10,008’ પૂર્ણ કર્યું છે. એક વર્ષ સુધી ચાલેલા આ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 10,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ માત્ર વૃક્ષારોપણ અભિયાન નહોતું, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક સહભાગિતાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ હતો, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો એક હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના સંકલ્પ સાથે જોડાયા હતા. આ અભિયાન અંતર્ગત શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, મકરપુરા GIDC અને સાવલીના ઔદ્યોગિક વિસ્તારો, પોલીસ સ્ટેશનો, રહેણાંક સોસાયટીઓ, ભારતીય વાયુસેના સ્ટેશન તથા અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પહેલમાં પર્યાવરણ માટે લાભદાયી અને સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ એવા લીમડો, ગુલમહોર, ચંપો અને આસોપાલવ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી શહેરી હરિયાળી, હવાની ગુણવત્તા અને જૈવ વૈવિધ્યમાં વધારો થાય છે. ‘મિશન 10,008’ની સફળ પૂર્ણાહુતિ વાસુ ફાઉન્ડેશનની વિશાળ પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું પ્રથમ સોપાન છે. ફાઉન્ડેશને આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંકલ્પ લીધો છે. વાવેલા વૃક્ષોના લાંબા ગાળાના જતન, વિકાસ અને સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે ફાઉન્ડેશને તેની ‘વાસુ ધર’ પહેલ હેઠળ 25 સમર્પિત સભ્યોની ટીમ નિમણૂક કરી છે, જે વૃક્ષોની સંભાળ અને ઉછેરની જવાબદારી સંભાળે છે. તેમના અમૂલ્ય યોગદાનની કદરરૂપે દરેક ટીમ સભ્યને ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું: “મિશન 10,008 માત્ર કોઈ આંકડાકીય લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ નહોતો. તેનો હેતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની સંસ્કૃતિ વિકસાવવાનો હતો. વાવવામાં આવેલ દરેક વૃક્ષ એ એવા વ્યક્તિઓ, સંસ્થાઓ અને સ્થાનિક હિતધારકોની ભાગીદારીનું પ્રતીક છે, જેમણે ટકાઉ વિકાસ તરફના એક મોટા આંદોલનનો ભાગ બનવાનું પસંદ કર્યું. આ મિશનની પૂર્ણતા અમારી સફરનો અંત નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વધુ વ્યાપક પ્રતિબદ્ધતાની શરૂઆત છે.” ઉકાણીએ આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભાગીદાર સંસ્થાઓ, સ્વયંસેવકો, કર્મચારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ‘મિશન 10,008’ની સફળતા બાદ હવે વાસુ ફાઉન્ડેશન કચરા વ્યવસ્થાપન, ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ અને સમુદાયની ભાગીદારી જેવા ક્ષેત્રોમાં વધુ વ્યાપક પર્યાવરણીય પહેલો હાથ ધરવા માટે કાર્યરત છે, જેથી લાંબા ગાળે સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ સર્જી શકાય.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ એસ.ટી. બસપોર્ટ પર મેડિકલ કેમ્પ:ડ્રાઈવર અને કંડક્ટર સહિત 200 થી વધુ કર્મચારીઓની આરોગ્ય તપાસ કરાઈ, અમૃત જ્વેલર્સને રૂ.10 કરોડના આભૂષણો પરત કરવા પડ્યા
    Next Article
    What is this stupid game?: Modi on IND players’ reactions to inaugural T20 WC

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment