Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં દિવ્યાંગોએ બનાવી આકર્ષક રાખડીઓ:આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટના સહયોગથી દિવ્યાંગજનો આત્મનિર્ભર બની રહ્યા છે; 10,000 રાખડી બનાવવાનો લક્ષ્યાંક

    12 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દિવ્યાંગ ભાઈ-બહેનોને રોજગારી આપી આર્થિક રીતે પગભર બનાવવાનું સરાહનીય કાર્ય કરી રહ્યું છે. આગામી રક્ષાબંધનના પર્વને ધ્યાનમાં રાખીને હાલમાં 100 જેટલા દિવ્યાંગ ભાઈ-બહેનો દ્વારા આકર્ષક રાખડીઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેનાથી તેઓને માસિક રૂ. 1,500 થી રૂ. 2,500 સુધીની આત્મનિર્ભર આવક પ્રાપ્ત થઈ રહી છે. વિવિધ કેન્દ્રો પર તાલીમ અને ગૃહઉદ્યોગની સુવિધા આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા સુરેન્દ્રનગર, લીંબડી, સાયલા અને ચોટીલા જેવા જિલ્લાના વિવિધ કેન્દ્રો પર દિવ્યાંગોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. સંસ્થા દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોને રાખડી બનાવવાની વિશેષ તાલીમ આપવામાં આવે છે. દિવ્યાંગો કેન્દ્ર પર આવીને અથવા તો પોતાની અનુકૂળતા મુજબ કાચો માલ ઘરે લઈ જઈને પણ રાખડી બનાવવાનું કામ કરી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વર્ષભર રોજગારી આપતી વિવિધ પ્રવૃત્તિઓ માત્ર રક્ષાબંધન જ નહીં, પરંતુ દિવ્યાંગ બહેનોને વર્ષભર આજીવિકા મળી રહે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. બહેનોને સીવણકામ, દિવાળીના તહેવાર માટે દીવડા બનાવવાનું અને તેને સુંદર રંગકામ કરવાનું કામ સોંપવામાં આવે છે. આ ઉપરાંત તેઓ ભગવાનના વાઘા અને તકિયા પણ તૈયાર કરે છે, જેનાથી તેમને સમગ્ર વર્ષ દરમિયાન સતત આર્થિક ટેકો મળતો રહે છે. 10,000 રાખડીઓ બનાવવાનું લક્ષ્યાંક અને સહયોગ ગત વર્ષે દિવ્યાંગ બહેનો દ્વારા 7,000 રાખડીઓ બનાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 10,000 રાખડીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ રાખડીઓના વેચાણ માટે શહેરમાં અલગ-અલગ જગ્યાએ સ્ટોલ લગાવવામાં આવે છે તેમજ શાળાઓમાં જઈને પણ વેચાણ કરાય છે. ઇનર વ્હીલ ક્લબ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્પાદનોના વેચાણમાં મદદરૂપ થવા આગળ આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં મકાનનો સ્લેબ ધસી પડતા 3 લોકો ઈજાગ્રસ્ત:ફાયર બ્રિગ્રેડે દિલધડક રેસ્ક્યૂ હાથ ધરી કાટમાળ નીચે દબાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢ્યા, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    લોકમેળા થકી રેકોર્ડબ્રેક 3.15 કરોડની આવક:જન્માષ્ટમીના મેળામાં 228 સ્ટોલ-પ્લોટનો ડ્રો, હરરાજી પૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment