Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ એસો.નો નિર્ણય:સોના-ચાંદીની જેમ રિયલ જરીના ભાવ પણ હવે રોજ જાહેર કરાશે ઉદ્યોગના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવો નિર્ણય લેવાયો

    17 hours ago

    સોના-ચાંદીના ભાવમાં રોજ મોટી વધ-ઘટ થતાં રિયલ જરી બનાવતા ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં સુરત ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને તાકીદની બેઠક કરીને જરીના ભાવ રોજ જાહેર કરવા નિર્ણય લીધો છે. સુરતમાં જરી ઉદ્યોગના 100 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર સંસ્થાએ આ પ્રકારનો નિર્ણય લીધો છે. સુરત ફાઈન રિયલ જરી મેન્યુફેક્ચરર્સ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા મેમ્બરોને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘આંતરરાષ્ટ્રીય બજારમાં સોના, ચાંદી જેવી કીમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તેનાથી જરી ઉદ્યોગ સહિત વિશ્વભરના ઘણા ઉદ્યોગો પર સીધી અસર પડી રહી છે. પરિણામે જરીનાં ઉત્પાદનોની પડતર કિંમત દરરોજ વધી રહી છે અને એસોસિયેશનના સભ્યો માટે કોઈ ચોક્કસ નિશ્ચિત દર પૂરો પાડવાનું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. બીજી બાજુ, રોકાણો પણ વધી રહ્યાં છે, જેના કારણે કાર્યકારી મૂડીની સમસ્યા ઊભી થઈ રહી છે અને જરી ઉત્પાદકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં સોના અને ચાંદીમાંથી બનતી જરી વિશ્વમાં જાણીતી હતી સુરતમાં આ ઉદ્યોગ 100 વર્ષથી પણ જૂનો છે. અસ્સલ સોના અને ચાંદીમાંથી બનાવવામાં આવેલી જરીનો ઉપયોગ સાડી અને ડ્રેસ મટીરીયલ્સમાં થતો હતો. 90ના દાયકામાં સુરતમાં રિયલ જરી બનાવતા 450થી વધારે કારખાનાઓ હતાં. પરંતુ આજના સમયે પ્લાસ્ટિક જરીનો પણ ટ્રેન્ડ વધ્યો છે. ત્યારે રિયલ જરીના કારખાનાઓ ઘટી રહ્યાં છે. આ નિર્ણય લેવાયા: રોજનાં બુકિંગ લઈ કામ કરો, 30 દિવસની જ ઉધારી
    Click here to Read More
    Previous Article
    પહેલા નિકાહ નોકરાણી સાથે, પરિણીતી હોવા છતાં ત્રીજી વાર પરણ્યા:'પાકીઝા' ફૅમ ડિરેક્ટર પત્ની મીના કુમારીને ગુલામની જેમ રાખતો, ફિલ્મ માટે બકરા-મરઘાની બેફામ કતલેઆમ કરી
    Next Article
    સિટી એન્કર:ઉત્તરાયણના 5 દિવસમાં વન વિભાગે 17 પ્રજાતિનાં 1,841 પક્ષીને રેસ્ક્યુ કર્યાં, 1630ને બચાવી લેવાયાં, 211નાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment