Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    100 યુવકમાંથી સિવિલ એન્જિનિયરને પસંદ કર્યો:5 મહિનાની હતી ત્યારે વડોદરાના બસ સ્ટેન્ડમાંથી મળેલી અનાથ દીકરીના લગ્ન, ભાવુક થઈ રડી પડી

    3 days ago

    વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં એક યુવતી માટે 100 છોકરાઓનાં માગાં આવ્યા બાદ અમદાવાદના એક મુરતિયાને પસંદ કરી આજે ધામધૂમથી લગ્ન થયા હતા. આ સમયે દીકરી ભાવુક બની ગઈ હતી. દીકરીને ધારાસભ્ય કેયુર રોકડિયાએ કન્યાદાન આપ્યું હતું અને તેને તમામ જવાબદારી પણ ઉપાડી લીધી છે. દીપા જ્યારે પાંચ મહિનાની હતી ત્યારે વડોદરાના નિઝામપુરા બસ ડેપોમાંથી મળી આવી હતી. લગ્નની ઉંમર થતા નારી સંરક્ષણ ગૃહ દ્વારા તેના લગ્ન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન માટે 100 બાયોડેટા આવ્યા હતા. જેમાં યુવતીએ અમદાવાદના યુવક જતીન પટેલને પસંદ કર્યો હતો. યુવક અમદાવાદમાં સિવિલ ઈજનેર તરીકે નોકરી કરે છે અને તેનો પરિવાર પણ વ્યવસ્થિત છે. આજે જતીન જાન લઈને વડોદરાના નારી સંરક્ષણ ગ્રુપ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંનેના ધામધૂમથી લગ્ન થયા. પરસ્પર સંમતિ બાદ આ લગ્ન નક્કી થયા છે: વરરાજા વરરાજા જતીન પટેલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા મેં મારો બાયોડેટા નારી સંરક્ષણ ગૃહમાં આપ્યો હતો. ત્યારબાદ સંસ્થા દ્વારા બધી બાબતોની ખરાઈ કરવામાં આવી. પછી અમને બંનેને મળવા માટે બોલાવ્યા હતા અને અમારી એકબીજા સાથે વાતચીત થઈ હતી. પરસ્પર સંમતિ બાદ આ લગ્ન નક્કી થયા છે. ખૂબ જ સરસ અનુભવ છે અને મને ઘણો આનંદ થઈ રહ્યો છે. ‘નારી સંરક્ષણ ગૃહની દીકરીઓને આપણે અપનાવીએ’ તેઓએ કહ્યું કે, સંસ્થાનો અને ખાસ કરીને મેડમ તેમજ તેમની આખી ટીમનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. તેમની મહેનતને કારણે જ આજે આ બધુ શક્ય બન્યું છે. મારી સમાજને એટલી જ વિનંતી છે કે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરીઓ છે, તેમને આપણે અપનાવીએ અને તેમને નવું જીવન આપીએ. સરકાર જે આટલી સરસ કામગીરી કરી રહી છે, તેમાં આપણે પણ સહભાગી બનીએ અને આવી દીકરીઓને આગળ લાવીને તેમનું જીવન સુધારીએ. ‘તેમની સાથે ગાળેલા દરેક દિવસો મને યાદ રહેશે’ નવવધૂ દીપાએ જણાવ્યું હતું કે,મારા લગ્ન જતિન સાથે નક્કી થયા છે, તેઓ અમદાવાદના રહેવાસી છે. હું આગળ જઈને પણ આ બધા લોકોને મળવા ચોક્કસ આવીશ, તેવું મેં વિચાર્યું છે. તેમની સાથે ગાળેલા દરેક દિવસો મને યાદ રહેશે. મને તેમની બહુ યાદ આવશે. એક જ થાળીમાં જમતા અને દરેક પ્રવૃત્તિમાં સાથે ભાગ લેતા: અનિતા દીપાની બહેનપણી અનિતાએ જણાવ્યું હતું કે, અમે નાનપણથી જ સાથે ઉછર્યા છીએ, સાથે બેસીને એક જ થાળીમાં જમતા અને દરેક પ્રવૃત્તિમાં સાથે ભાગ લેતા.આજે થોડું દુઃખ તો થાય છે, પણ આખરે છોકરીએ એક દિવસ લગ્ન કરીને સાસરે તો જવું જ પડે. હું તેના લગ્નથી ખૂબ ખુશ છું. અહીંનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. સંસ્થામાં દરેક વ્યક્તિનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે અને સાચવવામાં આવે છે. ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે,આ એવી દીકરી છે જે કદાચ સરકારના નારી સંરક્ષણ ગૃહમાં જ બાળપણથી લઈને આજ દિન સુધી મોટી થઈ છે. તો આ દીકરીના સમાજમાં પિતા બનવું એ વધારે સૌભાગ્યની વાત છે. જેનું કોઈ નથી એના ખરેખર ભગવાન છે અને ભગવાને મને આજે નિમિત્ત બનાવ્યો છે આ દીકરીના લગ્નમાં કન્યાદાન માટે, તો હું ભગવાનનો આભાર માનું છું. તમામ જરૂરિયાતો મેં પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે: ધારાસભ્ય તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ભવિષ્યમાં પણ દીકરીને કંઈ પણ જરૂર પડશે, તો હું એ કરવા માટે કટિબદ્ધ છું. આજે પણ દીકરીએ કન્યાદાન પેટે જે કંઈ પણ મારી પાસે જરૂરિયાત વ્યક્ત કરી હતી, એ તમામ જરૂરિયાતો મેં પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને મને આમાં નિમિત્ત બનાવ્યો છે, તો સ્વાભાવિક રીતે ભવિષ્યમાં જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત દીકરીને હશે તો અમે ચોક્કસ એ પૂરી કરીશું. 6 મહિનાથી તેના લગ્નની પ્રક્રિયા ચાલતી હતી મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારિયાએ જણાવ્યું હતું કે, આજે નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો અવસર છે. અહીંની આપણી એક આશ્રિત દીકરી, દીપાના લગ્ન અમદાવાદના એક યુવક સાથે નક્કી થયા છે. આજે ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કન્યાદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અમારા બિન-સરકારી સભ્યોની આખી ટીમ સાથે મળીને ખૂબ જ સુંદર આયોજન કર્યું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધી તેનો ઉછેર 'બાલ સંભાળ ગૃહ'માં થયો અને 18 વર્ષ પછી તે નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બની. છેલ્લા 6 મહિનાથી તેના લગ્નની પ્રક્રિયા ચાલતી હતી, જેને રાજ્ય સરકારે મંજૂરી આપતા આજે આ શુભ દિવસ આવ્યો છે. ‘4 બાયોડેટા શોર્ટલિસ્ટ કર્યા હતા’ તેઓએ કહ્યું કે, અમારી પાસે 100 બાયોડેટા આવ્યા હતા. જેમાંથી 12થી 15 બાયોડેટા ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી છોકરાની આર્થિક સંપત્તિ, તેનો અભ્યાસ અને પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને 4 બાયોડેટા શોર્ટલિસ્ટ કર્યા હતા. અંતે દીપાની પસંદગી અને મેળ ખાતા પાત્ર સાથે આ લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે આ અનેરો આનંદ અને ગર્વનો વિષય છે. અમે સંસ્થામાં ગમે તેટલી સુવિધાઓ આપીએ, પણ દીકરીનું સાચું પુનઃસ્થાપન ત્યારે જ કહેવાય જ્યારે તે સમાજમાં પોતાના પરિવાર સાથે રહે. બે વર્ષ પહેલા પણ અમે આવી જ રીતે બે દીકરીઓના લગ્ન કરાવ્યા હતા, જેમને આજે અમે ખાસ અહી આમંત્રણ આપ્યું છે. તેમાંથી એક દીકરીને તો અમે સંસ્થામાં જ રોજગારી પણ પૂરી પાડી છે.
    Click here to Read More
    Previous Article
    'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો:ભાસ્કરને કહ્યું, પરિવાર મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય, પણ હું તેને મહત્વ આપતી નથી
    Next Article
    સુરત-અમદાવાદમાં ગરમીના ડામથી ડામર ઓગાળવા લાગ્યો:દીવમાં માર્ચની ગરમીએ 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ તો 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment