Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલીઓ ઉપર મોંઘવારીનો વધુ એક માર:સ્કૂલ વાન અને રિક્ષા ભાડામાં 100 રુપિયાનો વધારો, નિયત ભાડા કરતા વધુ માંગે તો પોલીસ ફરિયાદ કરવા એસો.ની અપીલ

    1 week ago

    શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે નવા સત્રમાં વડોદરામાં વાલીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વડોદરામાં સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આ વર્ષથી રૂ. 100નો ભાવવધારો કરવામાં આવ્યો છે. ત્યારે બાળકોનું ભણતર હવે થોડું મોંઘુ થયું છે. સીએનજી ભાવમાં તબક્કાવાર રૂ. 12નો વધારો થતા નિર્ણય સ્કૂલ વાન એસોસિયેશનના પ્રમુખ જીવન ભરવાડે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં સીએનજીના ભાવમાં તબક્કાવાર રૂ. 12નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે અમે આ વર્ષથી નિર્ણય લીધો છે કે, સ્કુલ વાન અને સ્કૂલ રિક્ષા ભાડામાં રુપિયા 100નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય શહેરો કરતા અમે ઓછો વધારો કર્યા છે. અમદાવાદ રાજકોટ સહિતના શહેરોમાં 200થી 300નો વધારો કરાયો છે. જેની સામે અમે માત્ર 100નો વધારો કર્યો છે. કોઈ વાન ચાલક વધુ પૈસા લે તો પોલીસ ફરિયાદ કરો એસોસિએશનના પ્રમુખ જીવન ભરવાડે જણાવ્યું હતું કે, જો કોઈ વાન કે રિક્ષા ચાલક નિયત કરેલા ભાડા કરતા વધુ વધારો માંગે તો પોલીસ ફરિયાદ કરી શકો છે. દરેક વાન અને રિક્ષા ચાલકો ને કાર્ડ આપવામાં આવ્યા છે જેના ઉપર નંબર પણ લખવામાં આવ્યા છે ત્યારે જો સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કોઈ તકલીફ પડે તો પણ માલિકોનો સંપર્ક કરી શકાય છે. બાળકીઓની સુરક્ષા માટે અમે વિશેષ કાળજી લઈએ છે. કેટલાક સ્કૂલ સંચાલકો કમિશન માગે છે જે બહાર લાવીશું પ્રમુખે આક્ષેપ કર્યા હતા કે, કેટલીક સ્કૂલના સંચાલકો વાન અને રિક્ષા માલિકો પાસેથી રૂ. 200થી 300નું કમિશન માગે છે જેથી વાન અને રિક્ષા ચાલકે ભાડામાં એટલો વધારો કરવો પડે છે. જેના કારણે વાલીઓએ ભાવવધારો વેઠવો પડે છે. આગામી સમયમાં અમે આવા શાળા સંચાલકોને પણ ખુલ્લા પાડીશું. વાલીઓને પણ અમે જાગૃત થવા માટે અપીલ કરીએ છે. જેથી તેઓ પણ બાળકોનું સારું ભવિષ્ય વિચારી શકે.
    Click here to Read More
    Previous Article
    પતિએ પત્નીને તેડી જવાની ના પાડતા લાગી આવ્યું:સાસરીયાઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફિનાઈલ પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, પરિણીતાએ પતિ, સાસુ-સસરા સામે ફરિયાદ નોંધાવી
    Next Article
    Gujarat Transportation News | રાજ્ય સરકારનો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment