Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અદાણી પોર્ટ્સનો નફો 10% વધ્યો:ચોથા ક્વાર્ટરમાં તે ₹3,329 કરોડ રહ્યો, રેવન્યુ 26% વધીને ₹10,737 કરોડ થઈ; શેરધારકોને ₹7.50 ડિવિડન્ડ મળશે

    16 hours ago

    દેશની સૌથી મોટી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સે 30 એપ્રિલે નાણાકીય વર્ષ 2025-26ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 10% વધીને ₹3,329 કરોડ રહ્યો. ગયા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં તે ₹3,014 કરોડ હતો. કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 26%ના વધારા સાથે ₹10,737 કરોડ પર પહોંચી ગઈ છે. પરિણામોની સાથે જ અદાણી પોર્ટ્સના બોર્ડે નાણાકીય વર્ષ 2025-26 માટે શેર દીઠ ₹7.50ના ડિવિડન્ડની ભલામણ કરી છે. આ માટે શુક્રવાર, 12 જૂનને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 500 MMT કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ ભારતીય ઓપરેટર કંપનીએ જણાવ્યું કે તે એક વર્ષમાં 500 MMT (મિલિયન મેટ્રિક ટન) થી વધુ પોર્ટ કાર્ગો વોલ્યુમ હેન્ડલ કરનાર પ્રથમ ભારતીય ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ ઓપરેટર બની ગઈ છે. APSEZ એ નાણાકીય વર્ષ 2026 માટે તેના તમામ લક્ષ્યો (ગાઈડેન્સ) ને પાછળ છોડી દીધા છે. કંપનીએ ₹38,000 કરોડ રેવન્યુ, ₹22,800 કરોડ EBITDA અને ₹11,000-12,000 કરોડના કેપેક્સનું લક્ષ્ય રાખ્યું હતું. લોજિસ્ટિક્સ અને મરીન બિઝનેસમાં ઉછાળો ઓસ્ટ્રેલિયાના NQXT પોર્ટ અને કોલંબો (CWIT) પોર્ટના કામકાજમાં તેજી આવવાથી ઇન્ટરનેશનલ પોર્ટ્સનો રેવન્યુ 34% વધી છે. આ સેગમેન્ટનો EBITDA 180% વધ્યો છે અને માર્જિન 29%ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. કંપની પાસે હાલમાં 136 જહાજોનો કાફલો છે. 2030 સુધીમાં રેવન્યુ બમણી કરવાનો લક્ષ્ય: CEO અદાણી પોર્ટના સીઈઓ અશ્વિની ગુપ્તાએ જણાવ્યું હતું કે પડકારજનક વૈશ્વિક વાતાવરણ અને ટેરિફની અનિશ્ચિતતા હોવા છતાં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમણે જણાવ્યું કે કંપનીએ એક બિલિયન ટન પોર્ટ કાર્ગો હેન્ડલ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. ગુપ્તાના મતે, અદાણી પોર્ટ્સે એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જેનાથી નાણાકીય વર્ષ 2030-31 સુધીમાં રેવન્યુ અને EBITDAને બમણી કરી શકાશે. ભવિષ્યનું વિસ્તરણ અને કેપેક્સ કંપની પોતાની આંતરિક કમાણીમાંથી જ પૂર્ણ કરશે. દેશનો સૌથી મોટો પોર્ટ્સ ઓપરેટર છે અદાણી પોર્ટ્સ અદાણી પોર્ટ્સ ભારતનો સૌથી મોટો પ્રાઈવેટ પોર્ટ્સ ઓપરેટર અને એન્ડ-ટુ-એન્ડ લોજિસ્ટિક્સ પ્રોવાઈડર છે. તેના 15 પોર્ટ્સ અને ટર્મિનલ દેશની પોર્ટ્સ કેપેસિટીના લગભગ 25%નું પ્રતિનિધિત્વ કરે છે. તેની કેપેસિટી 627 MMTPA થી વધુ છે. ગૌતમ અદાણીએ 1998માં કંપનીની સ્થાપના કરી હતી અદાણી પોર્ટ્સના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી છે. તેમણે 1998માં આ કંપનીની સ્થાપના કરી હતી. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે અને CEO અશ્વિની ગુપ્તા છે. કંપનીમાં 1900થી વધુ કર્મચારીઓ કામ કરે છે. અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ, અદાણી પોર્ટ્સની સબસિડિયરી છે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 GT vs RCB Live Score, Playing 11 Updates: Will Virat Kohli continue his good form for Royal Challengers Bengaluru vs Gujarat Titans
    Next Article
    'ટોક્સિક' પોસ્ટપોન થતાં વરુણ ધવનની લોટરી લાગી!:'હૈ જવાની તો ઇશ્ક હોના હૈ' વહેલી રિલીઝ થશે; મેમાં લવ સ્ટોરી, ઐતિહાસિક, ફેમિલી, પોલિટિકલ ડ્રામાનો દબદબો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment