Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાઘલધરામાં વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત:સોનવાડાના જતીન પટેલને જમ્પર બાંધવાની કામગીરી વખતે બેક કરંટ લાગ્યો; 10 ફૂટથી પટકાયા

    1 day ago

    વલસાડ તાલુકાના વાઘલધરા ગામે વીજપોલ પર કામ કરી રહેલા એક વીજ કર્મચારીનું બેક કરંટ લાગવાને કારણે કરુણ મોત નીપજ્યું છે. સોનવાડાના 38 વર્ષીય જતીનકુમાર ઠાકોરભાઈ પટેલ 10 ફૂટની ઊંચાઈએથી પટકાયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના સોમવારે રાત્રે 8:35 વાગ્યાની આસપાસ વાઘલધરાના વારી ફળિયામાં બની હતી. જતીનકુમાર પી.એસ.સી. પોલ પર આશરે 10 ફૂટની ઊંચાઈએ ચડીને ડી.ઓ. જમ્પર બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન લાઈનમાં અચાનક ‘બેક કરંટ’ આવતા તેમને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો. કરંટના આંચકાથી સંતુલન ગુમાવી જતીનભાઈ સીધા જમીન પર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તેમને તાત્કાલિક સારવાર અર્થે વલસાડની સ્પંદન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. ફરજ પરના તબીબે ઈ.સી.જી. તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જતીનકુમારના અવસાનના સમાચાર મળતા સોનવાડા ગામ અને તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના લગ્ન વર્ષ 2024માં જ થયા હતા અને તેઓ એક બાળક તથા પત્નીને વિલાપ કરતા છોડી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના પૌવા ઉદ્યોગ પર ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર:ખાડી દેશોમાં 15% નિકાસ ઘટી, મિલ માલિકો દ્વારા સ્ટોક અન્ય રાજ્યોમાં વેચવના પ્રયાસ
    Next Article
    જામનગરમાં પરીણિતાને જૂના પ્રેમીએ ધમકી આપી:લગ્ન માટે દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી, ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment