Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:ઝાંઝરડા ગામથી સિદ્ધનાથ મંદિર સુધીની અઢી કિમીની શોભાયાત્રામાં 10 સ્વાગત પોઈન્ટ હશે

    5 days ago

    આગામી તા.26ને રામનવમીના તહેવારની શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવવાની છે. જેને લઇને સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢનો ઝાંઝરડા રોડ જાણે અયોધ્યા નગરીમાં પરિવર્તિત થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર-ઠેર ભગવા રંગની ધજા-પતાકાઓ લગાડવામાં આવ્યા છે તેમજ સુશોભિત ગેઈટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સનાતન હિંદુ એકતા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામનવમીને ગુરૂવારે સાંજના ઝાંઝરડા રોડ પર આવેલા રામ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જે સિદ્ધનાથ મંદિરે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં વિવિધ કલાત્મક ફ્લોટ્સ, ગજરાજ અને શણગારેલા રથો જોડાશે. શોભાયાત્રાના રૂટમાં પ્રજાની સુરક્ષા અને વ્યવસ્થાને લઇને આયોજકો દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે. સમગ્ર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો છે. તા.25ને બુધવારે રાત્રે 9:30 કલાકે ઝાંઝરડા રોડ પર આવેલા બાબા કોમ્પલેક્ષ ખાતે સંતવાણી અને ભજનાવલી કાર્યક્રમ યોજાશે.જેમાં લોકપ્રિય કલાકારો દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે પરંપરાગત મણિયારો રાસ અને રામસેના પાત્ર ગૃપ દ્વારા ભગવાન રામના જીવન પ્રસંગો રજૂ કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ભજવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 20 પંપ પર ડિઝલનો જથ્થો ખૂટી ગયો‎
    Next Article
    ઓનલાઇન પેમેન્ટ સ્વીકારવાનુ બંધ:પેટ્રોલપંપમાં ઓનલાઇન પેમેન્ટ બંધ, રૂ. 100,200માં જ પેટ્રોલ પૂરાવી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment