Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાનૂની કિસ્સો:10 વર્ષથી ગુમ થઇ ગયેલા વડોદરાનાં 45 વર્ષીય યુવકને કોર્ટે ‘સિવિલ ડેડ’ જાહેર કર્યો

    5 days ago

    શહેરના આજવા રોડ ખાતે રહેતા 8 વર્ષથી ગુમ વ્યક્તિને વડોદરાની સિવિલ કોર્ટે કાયદાકીય રીતે મૃત (સિવિલ ડેડ) જાહેર કરવાનો મહત્વનો હુકમ કર્યો છે. ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 108 મુજબ, જો કોઈ વ્યક્તિ 7 વર્ષ કે તેથી વધુ સમય સુધી ગુમ હોય અને તેના નજીકના સંબંધીઓએ તેના વિશે કાંઈ સાંભળ્યું ન હોય, તો તેને મૃત માની શકાય છે. આ કાયદાકીય જોગવાઈને આધારે 13મા એડિશનલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. પૂનમ સહદેવ પ્રસાદ સ્વામીએ આ આદેશ આપ્યો છે અને અલ્પેશભાઇ હરેશચંદ્ર પંડ્યાને સિવીલ ડેડ જાહેર કર્યા છે. ગુમ યુવાન અલ્પેશભાઇ અંગે અરજી કરનારા તેમના ભાઇ હિતેશભાઈએ એડવોકેટ સી.ડી. શ્રીમાળી મારફતે રજૂઆતોમાં જણાવ્યું હતું કે, 8 વર્ષથી ભાઈ ગુમ હોવાથી વહીવટી અને કાનૂની કામકાજ માટે ‘સિવિલ ડેથ’નું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે. સામા પક્ષે જન્મ-મરણ નોંધણી અધિકારીએ રજૂઆત કરી હતી કે, અરજદારે મૃત્યુના પ્રમાણપત્રની જરૂરિયાતની સ્પષ્ટતા કરી નથી. જોકે, આ અંગે કોર્ટે નોંધ્યું હતું કે, 7 વર્ષથી વધુ સમયથી વ્યક્તિ વિશે કોઈ માહિતી ન હોય ત્યારે કાયદાકીય રીતે તેને મૃત જાહેર કરી શકાય છે. જજ પૂનમ સહદેવપ્રસાદ સ્વામીએ આ કેસમાં મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું હતું કે, વાદીએ પોલીસ સર્ટીફિકેટ અને મૌખિક પુરાવાઓથી સાબિત કર્યું છે કે અલ્પેશભાઈ લાંબા સમયથી ગુમ છે. આથી, અદાલતે અલ્પેશભાઈ હરેશચંદ્ર પંડ્યાને કાયદાની નજરમાં મૃત જાહેર કર્યા છે અને તંત્રને તેની નોંધ લેવા આદેશ કર્યો છે. ભાસ્કર નોલેજ મિલકત-વારસા હક્ક, સરકારી કામ અટકી પડ્યાં હતાં 17 જુલાઇ,2016ના દિવસે નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અલ્પેશભાઇ પર ન ફર્યા આજવા રોડ નીલમ સોસાયટી, સરદાર એસ્ટેટ પાછળ રહેતા હિતેશભાઈ હરેશચંદ્ર પંડ્યાએ દાવો દાખલ કર્યો હતો કે, ભાઈ અલ્પેશભાઈ પંડ્યા 17 જુલાઈ 2016ના રોજ નોકરીએ જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ પરત ફર્યા નહોતા. સગાસંબંધીઓમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ મળી નહોતી. આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ પણ કરવામાં આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસ અને અખબારોમાં પ્રસિદ્ધ કરાયેલી જાહેર નોટિસ છતાં અલ્પેશભાઈનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જેની બપોદ પોલીસ મથકે 10 વર્ષ અગાઉ જાણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસની દાદાગીરી:રાત્રે દુકાન બંધ કરવા ગયેલી પોલીસે સ્ટોલ સંચાલકને રોડ પર માર માર્યો
    Next Article
    1 એપ્રિલથી જીકાસની ક્વિક રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે:જીકાસની પ્રક્રિયા 3 રાઉન્ડમાં થશે,ગત વર્ષે 32 રાઉન્ડ કરાતાં વિદ્યાર્થી હેરાન થયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment