Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પારેશ્વર મંદિરની સામે આગ લાગી:ગોત્રી તળાવ નજીક રાત્રે 10 વાગ્યે વૃક્ષ નીચે અગરબત્તી કરી,4 કલાકમાં વૃક્ષ ભડકે બળ્યું

    11 hours ago

    શહેરમાં કેટલાક મહિનાથી ઝાડમાં આગ લાગવાની ઘટના બની રહી છે. બુધવારે રાત્રે ગોત્રી તળાવમાં પારેશ્વર મંદિર સામેના વૃક્ષમાં આગ લાગી હતી. સ્થાનિક રહીશના જણાવ્યા મુજબ આ વૃક્ષ થડના ભાગેથી સૂકું ભઠ્ઠ હતું. રાત્રે 10 વાગ્યાના સુમારે એક વ્યક્તિએ વૃક્ષ નીચે શ્રદ્ધાપૂર્વક અગરબત્તી કરી હતી. તે પછી રાત્રે અઢી વાગ્યાના સુમારે ઝાડ ભડકે બળ્યું હતું. આ અંગે કરાતાં ફાયરબ્રિગેડે ઝાડ નીચેથી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ એટલી ભયંકર હતી કે, નીચેથી પાણીનો મારો ચલાવ્યા બાદ પણ ઉપરના ભાગેથી આગ ભભૂકતી રહેતી હતી. જેથી સ્થાનિકોએ ઝાડની ઉપરના ભાગેથી પાણી છાંટવાં કહ્યું હતું. આગને પગલે લોકો ભેગા થઇ ગયા હતા. અટલાદરા ડામર પ્લાન્ટના કચરામાં આગ ગોત્રીના અટલાદરા ડામર પ્લાન્ટ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસેના કચરામાં મોડી રાત્રે આગ લાગી હતી. આ આગ લાગતાં પ્લાન્ટના સિક્યુરિટીએ ફાયરબ્રિગેડને જાણ કરતાં લાશ્કરોએ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. વૃક્ષ નીચે અગરબત્તી કરવાનું ટાળવું જોઈએ અગરબત્તીની આગ નાની હોય છે. તે સૂકા લાકડાના સંપર્કમાં આવે અને ધીમો ધીમો પવન મળતો રહે તો ગરમી વધે છે. આ આગના સંપર્કમાં જ્વલનશીલ વાયુ ક્ષણવાર માટે આવે તો આગ ભભૂકી ઊઠે છે. જોકે એવા વાયુનું સંપર્કમાં આવવું અનિવાર્ય નથી. 2016માં બોટની વિભાગની પાછળ આગ ભભૂકી હતી. ઘટનાના બે દિવસ પૂર્વે માળીએ ધુમાડો જોયો હતો. વૃક્ષ નીચે અગરબત્તી કરવી ટાળવી જોઇએ. > પ્રો.અરુણ આર્ય, વનસ્પતિ શાસ્ત્રી
    Click here to Read More
    Previous Article
    બ્રેકિંગ‎:ચેમ્બરમાં અંતે સિલેક્શનહવે નહીં થાય ઇલેક્શન
    Next Article
    સિલિન્ડરના સંકટની અસર:ગેસ લાઇનની માગમાં ત્રણ ગણો વધારો, રોજની 9ને બદલે હવે 30 અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment