Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં 10 દિવસના વિરાબ બાદ ફરી વરસાદ શરૂ:લુણાવાડા-ખાનપુરમાં વાતાવરણમાં પલટો, ખેડૂતોને સારા વરસાદની પ્રતીક્ષા

    8 hours ago

    મહીસાગર જિલ્લામાં દસ દિવસના લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ બપોર પછી લુણાવાડા, ખાનપુર સહિત જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. આ વરસાદથી ખેડૂતોમાં રાહતની લાગણી પ્રસરી છે. છેલ્લા દસ દિવસથી મહીસાગર જિલ્લામાં વાતાવરણ શુષ્ક હતું. વરસાદના અભાવે ખેતીના પાક પર અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા. આજે સવારથી આકાશમાં વાદળો છવાયા હતા, જેના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો. બપોર બાદ શરૂ થયેલા આ ઝરમર વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવતદાન મળવાની આશા જાગી છે. જોકે, જિલ્લામાં નદીઓ, તળાવો અને જળાશયોમાં હજુ પૂરતું પાણી નથી. સિંચાઈની સમસ્યા યથાવત્ હોવાથી ખેડૂતો સારા અને ધોધમાર વરસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેનાથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 43 પોઈન્ટ વધીને 78,542 પર બંધ:નિફ્ટીમાં 13 પોઈન્ટનો વધારો રહ્યો, રિયલ્ટી અને પ્રાઈવેટ બેંકોના શેર્સમાં વધુ ખરીદી
    Next Article
    पत्थर, लकड़ी के टुकड़े, लाठीचार्ज और आंसू गैस के गोले, JPSC Protest में चल क्या रहा है?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment