Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ગંધથી રોગચાળાનો ભય:વઢવાણમાં 10 દિવસમાં 25 ભૂંડના મોત

    6 days ago

    વઢવાણ શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં અંદાજે 25 જેટલા ભૂંડના શંકાસ્પદ મોતથી ચકચાર મચી છે. ભૂંડના મોત થતા રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. ગણપતિ ફાટસર વિસ્તારમાં મોટી સંખ્યામાં સોસાયટીઓ આવેલી છે અને મોટી સંખ્યામાં રહીશો વસવાટ કરે છે. છેલ્લા કેટલાક દિવસથી મા શારદા સોસાયટી, વિજયનગર સોસાયટી, શક્તિનગર સોસાયટી, સંવિધાન સોસાયટી, સપના ક્લાસીસ પાસે અને વિનયનગર સહિતની 6થી વધુ સોસાયટીમાં ભૂંડ મરવાની ઘટનાઓ સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાસેથી પસાર થતી કેનાલનું ગંદુ પાણી પીવાથી અથવા વિસ્તારમાં નંખાતો ખાદ્ય કચરો ખાવાથી ભૂંડના મોત થઈ રહ્યા હોવાની આશંકા છે. સ્થાનિક દિનેશભાઈ, સુરેશભાઈ પરમાર વગેરેએ જણાવ્યું કે વિસ્તારમાં રોગચાળો ફેલાય તે પહેલા તંત્રએ તાત્કાલિક મૃત ભૂંડનો યોગ્ય નિકાલ કરી જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. ફોન કરીએ તો 1-2 દિવસે મૃત ભૂંડોનો નિકાલ થાય છે સ્થાનિક સુનિલ જી.રાઠોડે કહ્યુું કે, હમણાં હમણાં ગણપતિ ફાટસર વિસ્તારમાં ભૂંડના મોત ખૂબ જ થઈ રહ્યા છે. જેથી કરીને વિવિધ સોસાયટીઓમાં દુર્ગંધ ખૂબ જ ફેલાય છે. જેના લીધે રોગચાળો ફાટી નીકળે છે. લોકોને રહેવાનું ખૂબ જ મુશ્કેલ બને છે. મૃત ભૂંડ અંગે તંત્રને ફોન કરવામાં આવે છે. પરંતુ 1-2 દિવસ પછી તેનો નિકાલ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    લખતર ખાતે સરાઉન્ડિંગ રોડનું કામ અટકતા ચાલકો, રહીશો પરેશાન‎:20 દિવસથી કાદેસર તળાવ જવાના રસ્તે મેટલ પાથરી કામ બંધ કરી દીધું
    Next Article
    કલેક્ટર કચેરી પાછળ જ અંધારપટ:15 દિવસથી પાણીનું ટીપુંય નહીં, રસ્તા પર તો ખાડા જ ખાડા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment