Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્રાઉન્ડ રિપોર્ટ‎:10 દિવસમાં ખારી નદીના નવા બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ થશે

    4 days ago

    મહેસાણાની ખારી નદી પર ₹35 કરોડના ખર્ચે ફેબ્રુઆરી-2025માં ફ્લાયઓવરનું કામ શરૂ કરાયું હતું. 18 મહિનાના નિર્ધારિત લક્ષ્યાંકની સામે માત્ર સાડા 15 મહિનામાં જ આ કામ પૂરું કરી લેવાયું છે. 600 મીટર લાંબા આ ફ્લાયઓવરમાં હવે માત્ર સ્ટ્રીટ લાઇટના પોલ, સાઇન બોર્ડ અને માર્ગ સલામતીના નિર્દેશો (સાઇન એજ) લગાવવાનું કામ બાકી છે, જે આગામી 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ, 15 મે આસપાસ વાહન વ્યવહાર શરૂ કરી દેવામાં આવશે. નવા ફ્લાયઓવર પર અવરજવર શરૂ થયા બાદ જૂના હિસ્સાના રિ-સર્ફેસિંગનું કામ હાથ ધરાશે. જેનાથી અહીંની ટ્રાફિક સમસ્યામાં મોટો ઘટાડો થશે. બીજી તરફ, ફ્લાય ઓવરની નીચે નવા રોડનું કામ પણ પ્રગતિમાં છે. આ કામ પૂર્ણ થતાં બાલાજી સ્ટેટસ ફ્લેટ પાસેના સર્વિસ રોડથી સામે છેડે આવેલા શિવગંગા સ્કાય ફ્લેટના સર્વિસ રોડને સીધું જોડાણ મળશે. પરિણામે, વાહનચાલકોએ હાઇવે પર લાંબુ અંતર કાપવાને બદલે સર્વિસ રોડથી જ અવરજવર કરી શકશે. જળભવન પાસે સાંકડા હાઇવેને કારણે ટ્રાફિકજામ અને અકસ્માતનું જોખમ મહેસાણાથી અમદાવાદ તરફ જતી વખતે ખારી નદી અને પાલાવાસણા એમ બે ફ્લાયઓવર આવે છે. આ બંને ફ્લાયઓવરની વચ્ચે જલભવન પાસે વિજાપુર અને બહુચરાજી તરફ જવા માટે એક કટ આપવામાં આવ્યો છે, જે સાંકડો છે. વધુમાં, ખારી નદીના ફ્લાયઓવરનો જૂનો રસ્તો પણ પાલાવાસણા બ્રિજની સરખામણીએ સાંકડો છે. આ સ્થિતિમાં અહીંથી ટર્ન લેતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તહેવારોના સમયે વાહનોની સંખ્યા વધતાં અહીં ટ્રાફિકજામ અને અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    જુગારીઓ રંગે હાથ ઝડપાયા:જૂનાગઢ શહેરમાં જુગાર રમતા 2 દંપતી ઝડપાયા
    Next Article
    હુમલો:આંબલગઢમાં વૃદ્ધ પર ભાઈના પરિવારનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment