Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના રેસ્ટોરન્ટ-ખાણીપીણીની લારીવાળા ચિંતામાં મૂકાયા:કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય ખોરવાયો, રાજ્યના 10 હજાર ધંધાર્થીઓને અસર થઈ શકે છે

    1 day ago

    ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે.કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર કેવી અસર થશે તે જાણવા અમે ગુજરાત હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ અને અન્ય હોદેદારો સાથે વાતચીત કરી હતી. જોકે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બરોબર હોવાની હૈયાધારણા આપી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હોટલ-રેસ્ટોરન્ટ પર અસર ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે. જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર બે દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી. હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી. જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા. જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જે હોટલ-રેસ્ટોરન્ટમાં ગેસ લાઈન નથી તેની મુશ્કેલી વધશે રેસ્ટોરન્ટ બિઝનેસને ગેસ લાઇનથી ગેસ સપ્લાય થાય છે. જેથી મોટી રેસ્ટોરન્ટ કે ગેસ સિલિન્ડરની અછતની કોઈ અસર નહીં થાય. પરંતુ નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ બિઝનેસ જે કોમર્શિયલ બોટલથી ચાલે છે એમને વધારે અસર થવાની છે. અમદાવાદમાં 10 હજાર જેટલા નાના રેસ્ટોરન્ટ અને કેટર્સ વેપારીઓના ધંધાને અસર થશે. આગામી બે દિવસમાં સપ્લાય નહીં થાય તો હોટલ અને રેસ્ટોરન્ટ બંધ પણ થઈ શકે છે. કોમર્શિયલ સિલિન્ડરોની સપ્લાય નહીં મળે તો હજારો લોકોની રોજગારી છીનવાઈ શકે છે. વહેલી તકે સપ્લાય શરૂ નહીં કરાય તો કોરોના જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી ચિંતા હોટલ સંચાલકો કરી રહ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટના મેનુમાં ફેરફાર કરવા પડે તેવી જો કે તેનાથી બચવા માટે પણ કેટલા હોટલ સંચાલકોએ અને નાના નાના ખાણીપીણીના દુકાનદારોએ રસ્તાઓ કાઢવાની તૈયારી શરૂ કરી દીધી છે. હોટલ સંચાલકોએ મેનુ બદલવાનો અને ઓછો ગેસ વપરાય તેવા ખોરાક બનાવવામાં નિર્ણય કર્યો છે. જે ખોરાક બનાવવામાં ગેસનો વધારે વપરાશ થતો હોય તેવી વસ્તુઓ બંધ કરી દેવામાં આવશે. તેમજ જો સપ્લાય નહીં મળે તો કોરોના સમયગાળા જેમ એક ટાઈમ હોટલ ચાલશે, તો કેટલીક હોટલ બંધ થાય તો પણ નવાઈ નહીં. જેથી વહેલી તકે કોમર્શિયલ સિલિન્ડર સપ્લાય શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં 20 થી 30 ટકા હોટલ-રેસ્ટોરન્ટ સિલિન્ડર પર ચાલે છે- નરેન્દ્ર સોમાણી ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય જ બંધ થઈ ગઈ છે. એટલે સૌથી મોટો પ્રશ્ન છે કે જે નાની રેસ્ટોરન્ટ જે ગેસ જે ગેસ લાઈન પર નથી ચાલતી એમના માટે મોટી મુશ્કેલી સર્જાવાની છે. ગુજરાતમાં 70 થી 80 ટકા હોટલો ગેસ લાઈન ઉપર ચાલે છે પણ 20 થી 30 ટકા જે રેસ્ટોરન્ટો છે એ ગેસ સિલેન્ડર ઉપર ચાલે છે. નાના ગલ્લા ગેસ સિલિન્ડર એના પર ચાલે છે એ અત્યારે સિલિન્ડર મળતા બંધ થઈ ગયા છે. કંપનીમાં અને બે ત્રણ જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટર વાત કરી એમણે કીધું કે કોમર્શિયલ સિલિન્ડર સસ્પેન્ડ કરી રાખવામાં આવ્યા છે. જેથી સિલિન્ડર ઉપર ચાલતા નાના રેસ્ટોરન્ટ અને લારી ગલ્લા ધીરે ધીરે બંધ થવાની શરૂઆત થઈ ગઈ છે. બે દિવસમાં એની મોટી અસર દેખાશે. નાના રેસ્ટોરન્ટ વાળા અને લારી ગલ્લાવાળા ગુજરાતમાં બંધ થઈ જશે. વધુમાં નરેન્દ્રભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, સ્ટોક તો દરેક નાના રેસ્ટોરન્ટ વાળા કોઈ એક બાટલો રાખતો કે બે બાટલા રાખતો હોય કે ત્રણ બાટલા રાખતા એનાથી વધારે નાના રેસ્ટોરન્ટ વાળો સ્ટોક રાખે નહી. કારણ કે જગ્યાનો જ બહુ મોટો પ્રશ્ન હોય છે. અત્યારે સરળતાથી મળી રહેતા હતા એટલે પહેલા શું હતું કે એક જમાનો હતો. કલાકમાં સિલિન્ડર તમને કોમર્શિયલ મળી જતા હતા. સૌથી વધારે અસર કેટરીંગ ધારકોને થવાની છે. કારણ કે જે લોકોએ લગ્નના પ્રસંગ લઈ લીધા છે તે લોકો પ્રસંગ કઈ રીતે પૂરો કરશે તે પણ મોટો સવાલ છે. કેટરર્સ માટે હવે મોટી આફત શરૂ થઈ ગઈ છે. માણેકચોક લો ગાર્ડન સહિતની મોટી મોટી ખાણીપીણી બજાર ગેસ સિલિન્ડર પર ચાલે છે જેથી તે તમામ બંધ થઈ જશે. અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે સપ્લાય જે બંધ કરવામાં આવી છે તે વહેલી તકે શરૂ કરવામાં આવે. નહીતો બહુ મોટો પ્રશ્ન ઉભો થવાનો છે. કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થયો- દિલીપ ઠક્કર કો ચેપ્ટર હેડ અમદાવાદ અને નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, આજે સ્થિતિ નોર્મલ છે, પરંતુ આવતીકાલથી ઘણા રેસ્ટોરન્ટ બંધ થઈ શકે તેવી સ્થિતિ સર્જાશે. કારણ કે કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય સંપૂર્ણ બંધ થઈ ગયો છે. સરકાર દ્વારા કોમર્શિયલ સિલિન્ડર પર રોક લગાવી દેવામાં આવી છે. લોકોના ઘરના ચૂલા બંધ ન થાય તે માટે કોમર્શિયલ સિલિન્ડર પર સપ્લાય બંધ કરી દેવામાં આવી છે. અત્યારે તમામ લોકોને ગેસની આદત પડી ગઈ છે. જેથી કોમર્શિયલ સિલિન્ડર વગર રેસ્ટોરન્ટોને ખરાબ અસર થઈ શકે છે. અમદાવાદમાં અલગ અલગ 10 હજાર જેટલા યુનિટ છે. કોરોના સમયમાં લોકો એક ટાઈમ રેસ્ટોરન્ટ ચલાવતા હતા, કર્ફ્યુ જેવી પરિસ્થિતિ હતી તેમજ ખાલી હોમ ડિલિવરી ચલાવતા હતા તે રીતે આજના સમયમાં પણ હોટલ સંચાલકોને એવું કરવું પડશે. હોટલ બંધ કરવી પડે તેવી સ્થિતિ સર્જાશે તેવું કહેતા દિલીપભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, તો કેટલાક હોટલ સંચાલકોને રેસ્ટોરન્ટ પણ બંધ કરવી પડશે. તો કેટલાક લોકો પોતાના હોટલના મેનુમાં પણ ફેરફાર કરી શકે છે. તમામ લોકોએ ગેસનો ખોટો વપરાશ ન થાય તે રીતે કામ કરવું પડશે. ગેસનો વપરાશ ઓછો થાય તેવી વસ્તુઓ બનાવવી જોઈએ. એક સારું રેસ્ટોરન્ટ ઓછામાં ઓછા 30 જેટલા લોકોને રોજગારી આપતું હોય છે. જો ગેસ જ નહીં મળતો હોય અને હોટલ જ નહીં ચાલતી હોય તો પછી તે પોતાના માણસોને કઈ રીતે નોકરી પર રાખી શકશે. જેથી ગેસ સિલિન્ડરની સપ્લાય બંધ થતા રોજગારી પર પણ ખરાબ અસર થવાની છે. BPCએ કોમર્શિયલ સિલિન્ડરનું પ્રોડક્શન બંધ, સુરતમાં હોટલ-રેસ્ટોરન્ટના સંચાલકો મુશ્કેલીમાં સુરતના જાણીતા ગેસ ડિસ્ટ્રીબ્યુટર અને AR કોન્ટ્રાક્ટર્સના પ્રોપરાઈટર અજીતભાઈ પટેલે જણાવ્યું હતું કે, "યુદ્ધની પરિસ્થિતિને કારણે ગેસના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે. કંપની દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. આ અછત ક્યારે દૂર થશે તે કોઈ કહી શકતું નથી કારણ કે બધો આધાર યુદ્ધ કેટલો લાંબો સમય ચાલે છે તેના પર છે." આ વૈશ્વિક અનિશ્ચિતતાએ સ્થાનિક સ્તરે મોટા વેપાર-ધંધાને અસર પહોંચાડી છે. એક અંદાજ મુજબ, સુરત શહેરમાં દરરોજ સેંકડો કોમર્શિયલ સિલિન્ડરની જરૂરિયાત રહેતી હોય છે. અજીતભાઈ જણાવે છે કે તેમની એજન્સી પર જ દૈનિક 20 થી 50 જેટલા ગ્રાહકો કોમર્શિયલ સિલિન્ડરની માંગ સાથે આવે છે, પરંતુ જથ્થો ઉપલબ્ધ ન હોવાથી તેમને ખાલી હાથે પરત ફરવું પડે છે. ઘણા કિસ્સાઓમાં હતાશ થયેલા ગ્રાહકો ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ઘર્ષણમાં પણ ઉતરે છે, પરંતુ ડિસ્ટ્રીબ્યુટર્સ પણ કંપનીના સપ્લાય પર નિર્ભર હોવાથી લાચાર છે. હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર સંકટના વાદળો કોમર્શિયલ સિલિન્ડરની અછતને કારણે સૌથી વધુ અસર સુરતના ખાણી-પીણીના વ્યવસાયને થઈ રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં વપરાતા 19 કિલોના સિલિન્ડર ન મળવાને કારણે અનેક નાના એકમો બંધ થવાની કગાર પર છે. જો આગામી દિવસોમાં સપ્લાય યથાવત નહીં થાય, તો બહાર જમવાનું મોંઘું થઈ શકે છે અથવા તો વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થા શોધવી પડશે. ઘરગથ્થુ ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથી તંત્ર અને ડિસ્ટ્રીબ્યુટર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ડોમેસ્ટિક (14.2 કિલો) સિલિન્ડરનો પુરવઠો હાલ નિયમિત છે. કંપનીઓનું ધ્યાન અત્યારે પ્રાથમિકતાના ધોરણે ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવાનું છે. અછત માત્ર વ્યાપારી હેતુ માટે વપરાતા ગેસમાં જ જોવા મળી રહી છે, તેથી લોકોએ ખોટી રીતે સિલિન્ડરનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    The original microwave: How these 300-million-year-old plants use heat to reproduce
    Next Article
    ભાવનગર ડિસ્ટ્રીકટ બેંકનું સોફ્ટવેર હેક કરી 7 કરોડથી વધુની છેતરપિંડી:4 બ્રાન્ચમાંથી મોબાઈલ બેંકિંગથી પૈસા ઉપાડ્યા, સોફ્ટવેરની ખામીથી ફ્રોડ થયાનો ચેરમેનનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment