Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમગ્ર દેશમાં આજે લોક અદાલતનું આયોજન:અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે અકસ્માત વળતરના બે કેસોમાં 1 કરોડથી વધુનું વળતર ચૂકવાયું

    15 hours ago

    સમગ્ર દેશમાં આજે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતોમાં સમાધાનપાત્ર કેસોનો બંને પક્ષે સંતોષ થાય તેમ નિકાલ કરવામાં આવે છે. અમદાવાદમાં સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટ ખાતે લોક અદાલતમાં વાહન અકસ્માત વળતરના 1 કરોડથી વધુના વળતરના બે કેસોમાં સમાધાન થયું હતું અને એક 60 લાખ રૂપિયાના વળતરના કેસમાં સમાધાન થયું હતું. તેમજ એક કેસમાં 18.80 લાખનું વળતર ચુકવાયુ હતું. અકસ્માતના વળતર કેસમાં મૃતકના પરિવારને 1 કરોડનું વળતર પીનલકુમાર પટેલ 39 વર્ષના હતા અને અમદાવાદ સ્થિત વાઘ બકરી ટી કંપનીની મુખ્ય શાખામાં સિનિયર સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં તેમનો માસિક પગાર 69,499 હતો. 12 જૂન, 2024 ના રોજ બપોરે જ્યારે તેઓ તેમના સહકર્મી સાથે ટુ-વ્હીલર પર વડોદરા જઈ રહ્યા હતા, ત્યારે મંજુસર GIDC પાસે એક ટ્રકે તેમના વાહનને ટક્કર મારી હતી, જેના પરિણામે પીનલકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. કેસની ટ્રાયલ દરમિયાન અરજદાર અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 1.10 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. આથી, આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને તે મુજબ અરજદારને ચેક એનાયત કરવામાં આવ્યો છે. દોઢ વર્ષ લાંબી કાનૂની લડાઈ બાદ, સ્ટાફ સભ્યો, વકીલો અને કાનૂની અધિકારીઓની મહેનતથી મૃતકના પરિજનોને હક્ક પ્રાપ્ત થયો છે. છ વર્ષની કાનૂની લડત બાદ મૃતકના પરિવારને 1 કરોડનું વળતર રાજેશભાઈ ગોહેલ 59 વર્ષના હતા અને બેંક ઓફ બરોડાની અમદાવાદ રિજનલ ઓફિસમાં ચીફ મેનેજર તરીકે કાર્યરત હતા. જ્યાં તેમનો માસિક પગાર 1.19 લાખ જેટલો હતો. તારીખ 2 જૂન, 2019 ના રોજ રાત્રે જ્યારે તેઓ નહેરુનગર રોડ પર માણેકબાગ BRTS સ્ટેન્ડ પાસેથી ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક ડમ્પરે તેમને ટક્કર મારી હતી, જેમાં તેમનું કમનસીબ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રાયલ દરમિયાન અરજદાર અને ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ 1.05 કરોડ રૂપિયામાં સમાધાન થયું છે. આથી આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને તે મુજબનો ચેક અરજદારને આપવામાં આવ્યો છે. 6 વર્ષ કરતા વધુ લાંબી કાનૂની લડત અને સ્ટાફ તેમજ વકીલોના પરિશ્રમ બાદ આ કેસનો ભાવુક અને સુખદ અંત આવ્યો છે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવકને 60 લાખનું વળતર ચૂકવાયું પ્રશાંત ઈટાલિયા 44 વર્ષના હતા, ત્યારે વ્યવસાય કરીને મહિને 38 હજાર રૂપિયા કમાતા હતા. 7 માર્ચ, 2021 ના રોજ ઉદયપુરથી અમદાવાદ તરફ મિત્રો સાથે મુસાફરી કરતી વખતે નેશનલ હાઈવે પર મોટા ચિલોડા પાસે તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં તેમને પાંસળીઓ, જમણા ખભા અને કરોડરજ્જુમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. કમનસીબે તેઓ કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા હતા અને ત્યારથી તેઓ પથારીવશ છે. ટ્રાયલ દરમિયાન અરજદાર અને SBI જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 60 લાખ રૂપિયામાં સમાધાન થયું છે. આથી આ કેસ આજની લોક અદાલતમાં પતાવવામાં આવ્યો છે અને અરજદારને રકમનો ચેક સોંપવામાં આવ્યો છે. સાડા ત્રણ વર્ષ લાંબી કાનૂની પ્રક્રિયા બાદ, આ કેસનો પણ હકારાત્મક અંત આવ્યો છે. રાજકોટના આધેડનું અકસ્માતમાં મોત, ઇન્સ્યોરન્સ કંપનીએ 18 લાખનું વળતર ચૂકવ્યું 62 વર્ષીય જમનભાઈ મધાણી તારીખ 7 ઓક્ટોબર, 2025ના રોજ કાલાવડ ફાલા રોડ પરથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે એક વાહને તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને ત્યારબાદ કાલાવડ સરકારી હોસ્પિટલમાં જમનભાઈ મધાણીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. અરજદાર દ્વારા આ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા FAR રિપોર્ટના આધારે, ટ્રાયલ દરમિયાન અરજદાર અને બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે 18.80 લાખમાં સમાધાન થયું છે. આથી આ બાબત આજની લોક અદાલતમાં પતાવવામાં આવી છે અને તે મુજબની રકમનો ચેક અરજદારને એનાયત કરવામાં આવ્યો છે. ખૂબ ટૂંકા ગાળામાં જ આ કેસનો સુખદ અને ભાવનાત્મક અંત આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ભાભીના રૂમમાંથી પ્રેમી પકડાતા મામલો બિચક્યો:બે મહિલાને ચાર શખ્સોએ ધોકાવાળી કરી ગાળો ભાંડી, ઘોઘાના સાણોદરમાં પ્રેમસંબંધના મામલે સામસામી મારામારી
    Next Article
    6 PM Gujarati News LIVE | 6 વાગ્યાના મોટા સમાચાર | Latest Gujarati News | Iran War | India | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment