Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના રામસાગર તળાવમાં ભવ્ય શ્રીરામ પ્રતિમાનું અનાવરણ:1 કરોડના ખર્ચે 3 ટન પંચધાતુથી નિર્મિત, ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર

    12 hours ago

    ગોધરાના રામસાગર તળાવ ખાતે પ્રભુ શ્રીરામની 3 ટન વજનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે પંચધાતુમાંથી નિર્મિત કરવામાં આવી છે અને તે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનશે. શહેરના મધ્યમાં આવેલા આ પૌરાણિક તળાવ ખાતે આજે શ્રીરામની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. શહેરની શોભામાં વધારો કરતી આ પ્રતિમા પંચધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે, જે તેની મજબૂતી અને ધાર્મિક મહત્વ વધારે છે. તેનું કુલ વજન આશરે 3 ટન છે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રતિમાનું અનાવરણ કરી મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન કર્યું હતું. ધારાસભ્ય રાઉલજીએ જણાવ્યું હતું કે, "આ પ્રતિમા ગોધરાની સાંસ્કૃતિક વિરાસત અને રામભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક બની રહેશે." કાર્યક્રમમાં શહેરના વિવિધ સંગઠનો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં રામભક્તો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હોટલના જનરેટરમાં આગ લાગી:વેરાવળમાં ફાયર વિભાગે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો
    Next Article
    Iran War LIVE: Israel Warns Attacks On Iran 'Will Escalate And Expand'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment