Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-શિરડી ફ્લાઈટનું સુરતમાં ઈમરજન્સી લેન્ડિંગ:ખરાબ હવામાનથી આકાશમાં 1 કલાક સુધી ઈન્ડિગોનું વિમાન ગોળ-ગોળ ફર્યું, 150 પેસેન્જરોના જીવ અધ્ધર થયા

    4 days ago

    દિલ્હીથી શિરડી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર 150થી વધુ મુસાફરો માટે ગઈકાલની રાત ભારે ફાળકાભરી રહી હતી. શિરડી એરપોર્ટ પર ખરાબ હવામાન અને જોરદાર પવનને કારણે લેન્ડિંગ અશક્ય બનતા પાયલટે સુરત એરપોર્ટ પર વિમાનનું ડાયવર્ઝન કરાવ્યું હતું. સુરત એરપોર્ટ પર સલામત લેન્ડિંગ થતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. શિરડીના આકાશમાં 1 કલાક ચકરાવા માર્યા ઈન્ડિગોની આ ફ્લાઈટ દિલ્હીથી નિર્ધારિત સમયે ઉપડી હતી. જ્યારે વિમાન શિરડી એરપોર્ટની નજીક પહોંચ્યું, ત્યારે ત્યાં ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો અને વિઝિબિલિટી અત્યંત ઓછી હતી. પાયલટે વાતાવરણ સુધરવાની રાહમાં સતત 60 મિનિટ સુધી શિરડીના આકાશમાં વિમાનના આંટા મરાવ્યા હતા. વારંવારના ચકરાવાને કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અંતે જોખમ ન લેતા પાયલટે સુરત એર ટ્રાફિક કંટ્રોલ (ATC)નો સંપર્ક કરી લેન્ડિંગની મંજૂરી માગી હતી. 150થી વધુ મુસાફરોમાં ચિંતા અને ગૂંચવણ ફ્લાઈટમાં 150થી વધુ પેસેન્જરો સવાર હતા, જેમાં વયોવૃદ્ધો અને બાળકો પણ સામેલ હતા. અચાનક વિમાન સુરત તરફ વળતા મુસાફરોમાં મૂંઝવણ જોવા મળી હતી. જોકે, સુરત એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઈન્સના અધિકારીઓએ મુસાફરોને શાંત પાડ્યા હતા અને તેમને જરૂરી વિગતો પૂરી પાડી હતી. સુરત એરપોર્ટ પર વિમાનનું ટચ-ડાઉન થતા જ મુસાફરોએ તાળીઓના ગડગડાટ સાથે પાયલટનો આભાર માન્યો હતો. સુરતમાં તાબડતોબ વ્યવસ્થા કરાઈ સુરત એરપોર્ટ પર ડાયવર્ઝન લેન્ડિંગની જાણ થતા જ સુરક્ષા અને મેડિકલ ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષા અમારી પ્રાથમિકતા હતી. હવામાનમાં સુધારો ન થાય ત્યાં સુધી મુસાફરોને એરપોર્ટ પર જ રાખવામાં આવ્યા હતા. એરલાઈન્સ દ્વારા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક આયોજન પણ વિચારવામાં આવ્યું હતું. 3 કલાકના વિલંબ બાદ અંતે શિરડી પહોંચ્યા હવામાન વિભાગ તરફથી શિરડીમાં સ્થિતિ સામાન્ય હોવાના અહેવાલ મળતા જ, મોડી રાત્રે ફ્લાઈટને સુરતથી ફરી રવાના કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાક્રમને કારણે મુસાફરો તેમના નિર્ધારિત સમય કરતા 3 કલાક મોડા શિરડી પહોંચ્યા હતા. શિરડી એરપોર્ટ પર લેન્ડિંગ થતા જ મુસાફરોએ 'સાંઈ રામ' ના નાદ સાથે હાશકારો અનુભવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રેડ ક્રોસ ગીર સોમનાથને રાજ્ય રનર્સ અપ એવોર્ડ:પાંચ પ્રકલ્પોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં સન્માન કરાયું
    Next Article
    કુઆલાલમ્પુરથી આવેલી મહિલાના ગુપ્ત ભાગમાંથી 83 લાખનું સોનું ઝડપાયું:કસ્ટમ્સથી બચવા ગોલ્ડ પેસ્ટને કેપ્સ્યુલમાં સંતાડી હતી, અમદાવાદ એરપોર્ટ પરથી મહિલાની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment