Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજના વિષચક્રમાં ફસાયો વેપારી, 1 લાખની સામે 10 લાખની ઉઘરાણી:'તારા અને તારા દીકરાના ટાંટીયા ભાંગી નાખીશ', સિંધુનગરના શખ્સ સામે ગુનો

    1 week ago

    કોરોના કાળ દરમિયાન ધંધા માટે લીધેલી લોનની પઠાણી ઉઘરાણી મામલે ભાવનગરના ઘોઘારોડ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જુના સિંધુનગર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા વેપારીએ વર્ષ 2021માં આર્થિક તંગીના કારણે લીધેલા ₹1 લાખના બદલામાં ₹1.80 લાખ ચૂકવી દીધા હોવા છતાં, વ્યાજખોરે પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10 લાખની માંગણી કરી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 1 લાખની સામે 10 લાખની પઠાણી ઉઘરાણી ભાવનગર શહેરના જુના સિંધુનગરની લાઇન નંબર એકમાં રહેતા અને ગંગાજળિયા તળાવ પાસે શાકભાજીનો ધંધો કરતા 41 વર્ષીય મનોહરભાઈ ઉર્ફે મનોજભાઈ ગોવિંદભાઈ પીંજાણીએ ઓગસ્ટ-2021માં કોરોના મહામારી દરમિયાન આર્થિક સંકટ આવી પડતા સિંધુનગર રેલ્વે સ્ટેશન નજીક રહેતા સંજય સુખાભાઈ રબારી પાસેથી માસિક 10 ટકાના વ્યાજે ₹1,00,000 લીધા હતા. વેપારીએ દોઢ વર્ષ દરમિયાન વ્યાજ અને મુદ્દલ પેટે અંદાજે ₹1,80,000 ચૂકવી આપ્યા હોવા છતાં, સંજયે વધુ નાણાં પડાવવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. 'તારા અને તારા દીકરાના ટાંટીયા ભાંગી નાખીશ' આ વ્યાજખોર અવારનવાર વેપારી તેમજ તેમના પિતાને હાથ-પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. આ દરમિયાન ગત 22 મે 2026ના રોજ આરોપી સંજય હાથમાં લાકડી લઈને વેપારીના પિતાની દુકાને પહોંચ્યો હતો અને ધમકાવીને કહ્યું હતું કે, "જો એક મહિનામાં વ્યાજ અને મુદ્દલ સહિત કુલ રૂ.10,00,000 નહીં આપો તો તારા અને તારા દીકરાના ટાંટીયા ભાંગી નાખીશ." સિંધુનગરના શખ્સ સામે ગુનો નોંધાયો સતત મળતી ધમકીઓથી કંટાળીને વેપારી મનોહરભાઈએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સંજય રબારી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 308(4), 115(2), 351(3), 352 ઉપરાંત ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમની કલમ 40, 42 અને જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છના 6 રસ્તાઓ ફોરલેન કરવાનો નિર્ણય:CM ભૂપેન્દ્ર પટેલે 629 કરોડ મંજૂર કર્યા, મુન્દ્રા પોર્ટ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે
    Next Article
    PM Modi Jan Nayak | જનનાયકઃ નાગરિકના સુખ, સમૃદ્ધિ અને સુખાકારીનો પ્રયાસ | Infrastructure Development

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment